બિલ ન ચુકવાતા અસ્થિફૂલ આપવા ઈનકાર

Thursday 16th August 2018 03:13 EDT
 

લંડનઃ ફ્યુનરલ કંપનીએ અંતિમ સંસ્કારના બીલની સંપૂર્ણ રકમ ન ચૂકવાય ત્યાં સુધી મહિલાના અસ્થિ આપવાનો તેના પુત્રને ઈનકાર કર્યો હતો. મૃતક મહિલાના પુત્રે દાવો કર્યો હતો કે માતાની અંતિમવિધિ અને અંતિમસંસ્કાર માટે ૪૦૦૦ પાઉન્ડ જેટલો ખર્ચ થશે તેની તેને જાણ જ ન હતી.

અંતિમ સંસ્કાર પાછળ થતા ભારે ખર્ચ વિશે લોકોને વાકેફ કરવા માટે સિટીઝન્સ એડવાઈસ સર્વિસે આ કિસ્સો જાહેર કર્યો હતો. સંસ્થાના એન્ડી ઓલ્ડે જણાવ્યું હતું કે આ કિસ્સો ફ્યુનરલ ડેટની સમસ્યાને ઉજાગર કરે છે.પુત્રે દાવો કર્યો હતો કે માતાની અંતિમવિધિ માટે ભારે ખર્ચ થશે તેની તેને જાણ જ ન હતી. સંસ્થાએ ફ્યુનરલના ખર્ચમાં થઈ રહેલા વધારા વિશે ઓછી આવક ધરાવતા પરિવારોને ચેતવ્યા હતા અને જે ફ્યુનરલ પોષાય તેવું ન હોય તેનું બુકિંગ ન કરવામાં કોઈ દબાણ ન અનુભવવા જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter