હિન્દુ ધર્મમાં ભગવાન કૃષ્ણ અને રાધાજી અને ભગવાન સ્વામિનારાયણને સમર્પિત આનંદપૂર્વકનો હિંડોળા મહોત્સવ વિશેષ મહત્ત્વ ધરાવે છે. હિંડોળા ઉત્સવ 2026નો આરંભ 30 જુલાઈ 2026ના રોજ થયો છે અને ચોક્કસ મંદિર અથવા પ્રાદેશિક પંચાગને આધારિત 28 અથવા 29 ઓગસ્ટ 2026 સુધી ચાલશે.
મોટા ભાગે વર્ષા ઋતુના શ્રાવણ મહિના (જુલાઈ-ઓગસ્ટ)માં ઉજવાતો હિંડોળા મહોત્સવ આનંદનો ઉત્સવ છે, જે મુખ્યત્વે ભગવાન કૃષ્ણ અને રાધાજી અથવા ભગવાન સ્વામિનારાયણને સમર્પિત હોય છે. ભક્તજનો ઈશ્વરને પોતાના હૃદયમંદિરમાં સ્થાપિત કરવાની ભાવના સાથે દિવ્ય આશીર્વાદનો અનુભવ કરવા શણગાર કરેલા ઝૂલાને ધીરે ધીરે હિંચોળે છે અને પ્રાચીન આનંદી પરંપરાઓ પ્રત્યે આદર વ્યક્ત કરે છે.
સમર્પણ-ભક્તિની અભિવ્યક્તિઃ હિંડોળામાં દિવ્ય મૂર્તિને ધીરે ધીરે હિંચોળવાની પ્રક્રિયા અંગત પ્રેમ અને સક્રિય સેવા દર્શાવે છે. આત્માની સ્થિરતાઃ ઝૂલાની આગળ-પાછળ થતી ગતિ જીવનના ચડાવ અને ઉતાર દર્શાવવાની સાથે દિવ્યતાને સ્થિરપણે સાંકળી રાખે છે.
હૃદયમાં સ્થાનઃ હિંડોળામાં મૂર્તિને બેસાડવી એ ભક્તના હૃદયમાં રહેવા પરમાત્માને આમંત્રિત કરવા સમાન છે.
ઈતિહાસ અને પરંપરાઓઃ હિંડોળા ઉત્સવ 5000 વર્ષ પહેલાથી ચાલી આવે છે, જ્યારે ગોપીઓએ શણગારેલા ઝૂલા પર બાળ ભગવાન શ્રીકૃષ્ણને પ્રેમ સાથે ઝૂલાવ્યા હતા. ભેજવાળી વર્ષા ઋતુમાં ઉજવાતો મંદ ગતિ સાથે ઝૂલાવવાનો આ ઉત્સવ ઠંડી લહેર અને પ્રકૃતિનાં નવીનીકરણને પ્રદર્શિત કરે છે.
રચનાત્મક કલાત્મકતાઃ મંદિરો દ્વારા અનોખા દૈનિક વિષયો તેમજ પુષ્પો, ફળ, ડ્રાય ફ્રૂટ્સ, અરીસા અને શાકભાજી સહિતની સામગ્રીઓના ઉપયોગથી અવનવાં હિંડોળાનું નિર્માણ કરે છે.
હિંડોળા મહોત્સવમાં પવિત્ર સમર્પણ-ભક્તિમાં હૃદયો ઝૂલી રહ્યા છે ત્યારે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રતિષ્ઠિત વાચકો, તેમના પરિવારો, સગાંસંબંધીઓ, સર્વ સ્નેહીજનો અને મિત્રો તેમજ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના સમર્પિત કર્મચારીઓ માટે આ ઉત્સવ આંતરિક શાંતિ, લાગણીનાં ઝરણાં અને દિવ્ય કૃપા વરસાવે તેવી પ્રાર્થના છે.
સહુ પર ઈશ્વરના આશીર્વાદ વરસે. સલામત અને તંદુરસ્ત રહેજો.
સુરેશ પટેલ અને ભાવના પટેલ
મારખમ, કેનેડા


