મહાત્મા ગાંધીના જન્મદિને ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન પર પુષ્પાંજલિ કાર્યક્રમ

Wednesday 01st October 2025 07:55 EDT
 
 

 લંડનઃરાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું  સ્મરણ કરવા તેમજ પોતાના જીવન અને ફીલોસોફી  દ્વારા ભારત અને વિશ્વને અભૂતપૂર્વ યોગદાનની કદર કરવા ભારત દ્વારા દર વર્ષે 2 ઓક્ટોબરે ગાંધીજીના જન્મદિવસની ઊજવણી કરવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા આ દિવસને ‘ઈન્ટરનેશનલ ડે ઓફ નોન-વાયેલેન્સ’ તરીકે મનાવાય છે.

લંડનસ્થિત ભારતીય હાઈ કમિશન દ્વારા ગુરુવાર 2 ઓકિટેબર 2025ના રોજ સવારે 10.00 કલાકે ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન લંડન WC1H 9EU ખાતે ગાંધી જયંતીની ઊજવણી કરવામાં આવશે, જેમાં ઉપસ્થિત રહેવા સહુને આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ પ્રસંગે મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રખાયો છે. આમંત્રિત મહાનુભાવો સંક્ષિપ્ત સંબોધનો કરશે તે પછી મહાત્મા ગાંધીને પ્રિય ભક્તિભાવના ભજનો રજૂ કરવામાં આવનાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter