લંડનમાં 'આનંદ મેળો' 'એસેટ્સ ઇન્ડિયા પ્રોપર્ટી શો'નું ભવ્ય આયોજન

Tuesday 17th May 2016 10:39 EDT
 

ભારત બહાર સૌથી વધુ ફેલાવો ધરાવતા લોકપ્રિય સાપ્તાહિકો 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૧૧ અને ૧૨ જૂન ૨૦૧૬ના શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭ દરમિયાન લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલ ખાતે ભવ્ય અને મનોરંજનથી ભરપૂર 'આનંદ મેળા'નું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસના આ 'આનંદ મેળા'માં પ્રોપર્ટી મેળા 'એસેટ્સ ઇન્ડિયા પ્રોપર્ટી શો'નો લાભ મળશે. જેમાં આપ સૌને ભારતના વિવિધ શહેરોમાં રહેવા માટે તેમજ રોકાણ માટે પ્રોપર્ટીની પસંદગી કરી શકશો.

એસેટ્સ ઇન્ડિયા પ્રોપર્ટી શો ૨૦૧૬

ભારતમાં ઘરનું ઘર વસાવવા તેમજ પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગતા સૌ કોઇ માટે લંડનના હેરો લેઝર સેન્ટરના મેસફીલ્ડ સ્યુટમાં તા. ૧૧-૧૨ જૂન શનિવાર અને રવિવારના રોજ 'એસેટ્સ ઇન્ડિયા પ્રોપર્ટી શોનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોપર્ટી મેળામાં સૌ કોઇને મફત પ્રવેશ મળશે.

'એસેટ્સ ઇન્ડિયા પ્રોપર્ટી શો'માં ઇન્ડિયા બુલ્સ, નિર્મલ લાઇફ સ્ટાઇલ, અજમેરા ગૃપ, ગ્રીન શેપ્સ અને ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોના વિખ્યાત અને પ્રતિષ્ઠીત ડેવલપર અને કંપનીઅો તરફથી વિવિધ પ્રોપર્ટીઅો રજૂ કરવામાં આવશે. અહિં ૧૫ જેટલા સ્ટોલ્સ પરથી રહેવા માટેની તેમજ રોકાણ માટેની પ્રોપર્ટીઝ અંગે એસેટ ઇન્ડિયાના ભારતના પ્રોપર્ટી સ્પેશ્યાલીસ્ટની સેવા અને સલાહનો લાભ મળશે.

'એસેટ્સ ઇન્ડિયા પ્રોપર્ટી શોમાં વિવિધ શહેરોમાં રોકાણ અને ઉચ્ચ વળતરની શ્રેષ્ઠ તકો ધરાવતી પ્રોપર્ટીનું વેચાણ કરતી વિવિધ ડેવલપર્સ કંપનીઅોના સ્ટોલનો લાભ મળશે અને આપ પસંદગીના શહેરની પ્રોપર્ટી અંગે માહિતી મેળવી શકશો. ભારતમાં નરેન્દ્રભાઇ મોદીની સરકારે સ્માર્ટ સીટીની યોજના બનાવી છે અને પ્રોપર્ટીને લગતા કાયદાઅોમાં સુધારા કર્યા બાદ પ્રોપર્ટી બજારમાં તેજી આવે તેવી શક્યતાઅોને પગલે ભારતમાં પ્રોપર્ટી ક્ષેત્રે રોકાણ વધી રહ્યું છે. જેનો લાભ આ મેળામાં મળી શકશે.

યુકે વાસીઅોની આરોગ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ભારતની વિખ્યાત હોસ્પિટલ્સ સાથે જોડાણ કરીને 'આરોગ્ય મેળા' (હેલ્થ અને વેલબીઇંગ)નું આયોજન કર્યું છે. જેમાં દાંત, હ્રદય, ડિસ્ક સહિત વિવિધ ક્ષેત્રના અને ભારતની જાણીતી હોસ્પિટલના નિષ્ણાંત તબીબો પાસે પોતાની શારીરિક તકલીફ કે બીમારી અંગે ચર્ચા-વિચારણા કરી શકશો અને આપને સંતોષ થાય તો આગળની ટ્રીટમેન્ટ અંગે નિર્ણય પણ લઇ શકશો.

વેપાર ધંધાના વિકાસ માટે સોનેરી તક: આનંદ મેળો

સાડી-જવેલરી, કપડા, શણગાર, મહેંદી, ખાણી-પીણી, કેટરીંગ, નાસ્તા કે ઘર સજાવટની વિવિધ ચીજ-વસ્તુઅોનો વેપાર કરતા હો તો આનંદ મેળામાં સ્ટોલ કરીને વધારાની કમાણી કરવાની આ શ્રેષ્ઠ તક છે. સ્ટોલ કરીને આપ નવા ગ્રાહકો મેળવી શકશો અને આપના વેપારની જાહેરાત કરવાની અમુલ્ય તક મળશે. બે દિવસ દરમિયાન યોજાનાર આનંદ મેળો ૫,૦૦૦થી વધુ લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે. સ્ટોલ ખૂબ જ ઝડપથી બુક થઇ રહ્યા હોવાથી આપનો સ્ટોલ બુક કરાવવા આજે જ સંપર્ક કરવા વિનંતી છે.

'આનંદ મેળા' માં બ્યુટી અને વેડીંગ, ટ્રાવેલ અને ટૂરીઝમ, જ્વેલરી, શિક્ષણ, ફાઇનાન્સ - બેન્કિંગ અને ઇન્સ્યુરંશ ક્ષેત્ર સહિત વિવિધ સેવાઅો અને પ્રોડક્ટનું વેચાણ કરતા સ્ટોલનો લાભ મળશે. 'આનંદ મેળા'નું મુખ્ય આકર્ષણ ખાણી પીણીના સ્ટોલ્સ છે. જ્યાંથી પારંપરિક અને સ્વાદિષ્ટ એવા ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, પાણીપુરી અને ચાટ્સ, દાબેલી, ફરસાણ, પાઉંભાજી વગેરે વાનગીઅોની મોજ માણી શકશો. 'આનંદ મેળા'નું વિશેષ આકર્ષણ બોલીવુડ ગીત-સંગીત, રાસ-ગરબા, ઢોલ પ્લેયર્સ, નૃત્યો, ફેશન શો, બાળકોના વિશેષ કાર્યક્રમો ઉપરાંત વિખ્યાત સ્થાનિક ગાયક કલાકારોના ગીત સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણવા મળશે.

આ વર્ષે યોજાનાર 'આનંદ મેળા'ની સહયોગી સખાવતી સંસ્થા બાળકોનો શૈક્ષણિક, સાંસ્કૃતિક, શારીરિક અને માનસિક વિકાસ કરતી આપણી પોતીકી સંસ્થા 'શીશુકુંજ' છે. 'આનંદ મેળા'માં પ્રવેશ માટે આપના દ્વારા ખરીદવામાં આવેલી વ્યક્તિ દિઠ £૨-૫૦ની ટિકીટની તમામ રકમ 'શીશુકુંજ'ને આપવામાં આવશે. ૧૨ વર્ષથી નીચેના બાળકો માટે પ્રવેશ મફત છે.

સ્ટોલ બુકીંગ અને વધુ માહિતી માટે અાજે જ કાર્યાલયમાં ફોન કરો 020 7749 4080.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter