BAPS શ્રી સ્વામિનારાય સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. BAPS દ્વારા કોરોના વાઇરસ મહામારીનો જલ્દી અંત આવે તે માટે ઓનલાઇન મહાઅભિષેક પ્રાર્થનાનું આયોજન કરાયું હતું. જેમાં એશિયા પેસિફિક અને આફ્રિકા સહિતના સ્થળોથી ભક્તો જોડાયા હતા. સંસ્થા દ્વારા કોરોના સંકટમાં મદદરૂપ થવા વિવિધ દેશોમાં ચેરીટી થઇ રહી છે.