લંડનઃ BAPS શ્રી સ્વામિનારાય સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર લંડન દ્વારા તાજેતરમાં અવસાન પામનારા હરિભક્તોની સ્મૃતિમાં વિશેષ ઓનલાઇન પ્રાર્થના સભા યોજાઈ હતી. જેનું સમગ્ર યુકે તથા યુરોપમાં વેબકાસ્ટ કરાયું હતું. જેમાં મૃતકોના સ્વજનો પણ ઓનલાઇન જોડાયા હતા. દિવંગતોની આત્માની શાંતિ માટે પ્રાર્થનાગાન કરાયું હતું. પૂ. મહંતસ્વામીએ વીડિયો સંદેશો પણ પાઠવ્યો હતો.