લંડનઃ હિન્દુ ફોરમ બ્રિટન (HFB) વતી સંસ્થાના સભ્યોએ અમદાવાદ-લંડન એર ઈન્ડિયા ફ્લાઈટ AI 171ની કરૂણાંતિકાથી અસર પામેલા પરિવારો અને સ્નેહીજનોને ઊંડી દિલસોજી અને હૃદયસ્પર્શી એૈક્યની સંવેદના વ્યક્ત કરી હતી. HFB દ્વારા જણાવાયું હતું કે તેમની પ્રાર્થના અને વિચારો જેમણે ચિરવિદાય લીધી છે તે આત્માઓ સાથે છે તેમજ આ પીડાદાયી સમયગાળામાં તેમના પરિવારોની સાથે પણ છે. આ ઉપરાંત, બચાવકાર્યમાં સંકળાયેલા તમામ ઈમર્જન્સી કર્મચારીઓ અને બચી ગયેલા લોકોને શક્તિ અને ધરજ સાંપડે તેવી પણ પ્રાર્થના કરાઈ હતી. દિવંગતોના આત્માઓને મોક્ષ સાંપડે તેમજ તેમના પરિવારોને આ મુશ્કેલ સમયમાં સહનશક્તિ, હિંમત, સપોર્ટ અને આશ્વાસન સાંપડે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી.
હિન્દુ ફોરમ બ્રિટન (HFB) તમામ પ્રયાસો- આધ્યાત્મિક, માનવતાવાદી અને સાંપ્રદાયિક તેમજ વિશેષતઃ ઘટનાસ્થળે મહત્વની મદદ પૂરી પાડી રહેલાં SEWA સંગઠનો અને NGOsની અથાગ સેવાને સપોર્ટ કરવા પ્રતિબદ્ધ છે.
આ દુઃખની ક્ષણો એકતા, અનુકંપા અને સંસ્મરણોની પળ બની રહે તેવી પ્રાર્થના.
હિન્દુ ફોરમ બ્રિટનના પ્રેસિડન્ટ તૃપ્તિબહેન પટેલે સ્કાય ન્યૂઝ પર અમદાવાદ વિમાન કરુણાંતિકા સંદર્ભે દિલસોજી અને ઐક્યની ભાવના રજૂ કરી હતી. તેમણે બ્રિટિશ હિન્દુ કોમ્યુનિટીના દુઃખ, મૃતકોના સંસ્મરણોનું સન્માન કરવાની સાથે ગુજરાતમાં કાર્યરત સેવા સંગઠનો અને બિનસરકારી સંસ્થાઓના અથાક કાર્યોને બિરદાવ્યાં હતાં.
અસરગ્રસ્ત પરિવારો માટે મહત્ત્વની સહાયઃ
અમે આ દુર્ઘટનાથી અસર પામેલા કોઈ પણ વ્યક્તિ માટે આ માહિતી પૂરી પાડવા ઈચ્છીએ છીએ.
-----------------------------------------------------
ઈમર્જન્સી વિઝા આસિસ્ટન્સ
લંડનસ્થિત ભારતીય હાઈ કમિશન દ્વારા AI 171 ફ્લાઈટના પેસેન્જરોના નિકટના સ્વજન અથવા સગાંને તાકીદે ભારતનો પ્રવાસ કરવાની આવશ્યકતા ઉભી થાય તેમના માટે ઈમર્જન્સી કોન્ટેક્ટ નંબર જારી કર્યો છે. આ નંબર 07768 765035 (UK) છે.
આ નંબરનો ઉપયોગ પરિવારજનો માટે ઈમર્જન્સી વિઝા સંબંધિત પૂછપરછ માટે જ કરવાનો રહેશે.
------------------------------------------------
સામાન્ય પૂછપરછ અને પેસેન્જરની માહિતી
મહેરબાની કરી અન્ય તમામ માહિતી માટે આ નંબર્સ પર સંપર્ક કરશોઃ
• એર ઈન્ડિયા ઈમર્જન્સી લાઈન: 1800 5691 444
• નાગરિક ઉડ્ડયન મંત્રાલય, ભારત સરકાર:
011-24610843 or 09650 391859