અમદાવાદ શહેરના ઘોડાસર વિસ્તારમાં આશાપુરી વસ્તી હિન્દુ સંમેલન સમિતિ દ્વારા વિરાટ હિન્દુ સંમેલન યોજાયું હતું. શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગરના હરિવલ્લભદાસજી સ્વામી અને પ્રેમવત્સલદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયેલા સંમેલનમાં મોટી સંખ્યામાં ભાઈબહેનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા કાન્તીભાઈ પટેલ, અશ્વિનભાઈ દેસાઈ, જગદીશભાઈ પ્રજાપતિ, શૈલેષભાઈ પટેલે ભારે જહેમત ઉઠાવી હતી.


