અમદાવાદના શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન - મણિનગર સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર-ન્યૂજર્સી ખાતે ઘનશ્યામ મહારાજ રજત પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સંત સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અને જગદ્દગુરુ અવિચલ દેવાચાર્યજી મહારાજ, મહામંડલેશ્વર પ્રતાપુરીજી મહારાજ - રાજસ્થાન, યોગાચાર્ય શ્રી અખિલેશદાસજી મહારાજ - હરિદ્વાર, મહામંડલેશ્વર હરીશચંદ્રપુરીજી મહારાજ તથા બીએપીએસ સંસ્થાના પૂજનીય સંતોની ઉપસ્થિતિમાં પ.પૂ. જ્ઞાનમહોદધિ આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજને વિશ્વ સત્સંગ સમ્રાટ પદવીથી નવાજ્યા હતા.


