કુમકુમ મંદિરના સંતોનું લંડન અને કેનેડા વિચરણ

Saturday 26th July 2025 05:03 EDT
 
 

અમદાવાદ: સદગુરુ શાસ્ત્રી પૂ. આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગરના પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામી ભારતીય સંસ્કૃતિના પ્રચાર અર્થે દુબઈ-લંડન અને કેનેડા ત્રણ દેશમાં વિચરણ કરશે. હાલ દુબઇમાં વિચરણ કરતા આ વરિષ્ઠ સંતો 24 જુલાઇથી 18 ઓગસ્ટ લંડનમાં અને 19 થી 29 ઓગસ્ટ કેનેડામાં વિચરણ કરશે. આ પ્રસંગે સત્સંગ સભાઓ, યુવા શિબિરો, કીર્તન ભક્તિ, અબજીબાપાશ્રીની વાતોની પારાયણો, લંડન મંદિરનો ત્રિદિવસીય પાટોત્સવ આદિ વિવિધ કાયક્રમો યોજાયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter