કુમકુમ સ્વામિ. મંદિરમાં સત્સંગ સભા-પારાયણ યોજાઇ

Thursday 20th April 2023 12:19 EDT
 

અમદાવાદઃ સ્વામિનારાયણ કુમકુમ મંદિરમાં સત્સંગ સભાનું આયોજન કરાયું હતું, જેમાં અબજીબાપાની 70 વાતોની પારાયણ કરાઈ હતી. આ પ્રસંગે યોજાયેલી સત્સંગ સભામાં પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, આપણે નિત્ય સત્સંગ કરીએ છીએ, પરંતુ સત્સંગ કર્યા પછી આત્મખોજ કરવી જોઈએ. હું કોણ છું? ક્યાં છું? શા માટે આવ્યો છું? તેનો વિચાર કરવો જોઈએ અને આપણે જે સત્સંગ કરીએ છીએ તેનો હિસાબ કાઢવો જોઈએ કે, સત્સંગ કર્યા પછી હું જીવનમાં કેટલો આગળ વધ્યો. આપણને ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે તો સત્સંગ કરીને જીવનને સાર્થક બનાવવું જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter