કોરોના મહામારીમાં સમગ્ર બ્રિટને સામૂહિક ધોરણે, ભેદભાવથી પર રહી માનવતાના દીપ જલાવી નિ:સ્વાર્થ સેવાનું કાર્ય હાથ ધરેલ છે. એક અંદાજ મુજબ આર્થિક કટોકટી હોવા છતાં દેશભરમાં દસ મિલિયન સેવાભાવી બ્રિટનવાસીઓ લોકડાઉનમાં સ્વૈચ્છિક સેવા આપી રહ્યા છે અને હજી પણ ૭૮% એ પરિસ્થિતિ સુધરે ના ત્યાં સુધી અનુદાન આપવા તૈયારી દાખવી છે. કટોકટીના સંજોગોમાં માનવધર્મ સર્વોપરિ હોવાનું પુરવાર થયું છે.
હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટ દ્વારા કોવીદ-૧૯માં વોલંટીયરી સેવા: NHSહોસ્પીટલોના ફ્રન્ટ લાઇન સ્ટાફ અને સમર્પિત કી-વર્કર્સ તેમજ એકલા-અટૂલા, નિ:સહાયોને ફુડ, દવાઓની ડીલીવરી, વનરેબલની એકલતા ટાળવા વાતચીત કરી નૈતિક ટેકો આપવા સહિત કોવીદ-૧૯ વિષયક તાજા સમાચારોથી વાકેફ કરવા જેવી વિવિધ સેવાઓ હિન્દુ કાઉન્સિલ તેમજ એ સાથે સંકળાયેલ અન્ય સંસ્થાઓના સહકારથી સાદર કરાઇ રહેલ છે એમ એના પ્રમુખ શ્રી અશ્વિનભાઇ ગલોરીયાએ "ગુજરાત સમાચાર"ને જણાવ્યું છે. સારા કાર્યો કરનાર સૌને ધન્યવાદ.