ગાંધી નિર્વાણ દિને પુષ્પાંજલિના કાર્યક્રમો

Tuesday 25th January 2022 15:56 EST
 
 

ભારતીય હાઈ કમિશન દ્વારા આ વર્ષે ૩૦ જાન્યુઆરી, ૨૦૨૨ને ગાંધી નિર્વાણ દિને પુષ્પાંજલિના ટૂંકા કાર્યક્રમોનું આયોજન કરાયું છે. તે પ્રમાણે સવારે ૧૧ વાગે ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન ખાતે હાઈ કમિશનર ગાયત્રી ઈસ્સાર કુમાર અને કેમડનના મેયરની સાથે હાઈ કમિશનના કેટલાંક અધિકારીઓ પૂ. ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પશે.

બીજા કાર્યક્રમમાં સવારે ૧૧.૩૦ વાગે પાર્લામેન્ટ સ્ક્વેર ગાર્ડન ખાતે હાઈ કમિશનર ગાયત્રી ઈસ્સાર કુમાર અને કેમડનના મેયરની સાથે હાઈ કમિશનના કેટલાંક અધિકારીઓ પૂ. ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પશે.

આ વર્ષે કોઈ જાહેર કાર્યક્રમનું આયોજન કરાયું નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter