નકુરુઃ નકુરુ લોહાણા મહાજન દ્વારા 4 સપ્ટેમ્બર 2026ના રોજ નકુરુના રઘુવંશ હોલ ખાતે આનંદ અને ઉત્સાહ સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રીકૃષ્ણના જન્મ નિમિત્તે કોમ્યુનિટીના સભ્યો હુંફાળા અને ભક્તિસભર વાતાવરણમાં એકત્ર થયા હતા. આ ઉજવણીએ પરિવારો અને ભાવિકોને અરસપરસ મળવાની, ધાર્મિક પરંપરાઓના જતન અને જન્માષ્ટમીની આનંદી અને ઉત્સાહી ભાવનામાં સહભાગી બનવાની અનોખી તક પુરી પાડી હતી.


