લંડનઃ નવનાત વણિક એસોસિયેશનની વાર્ષિક સામાન્ય સભા (AGM) રવિવાર 14 જૂન 2026ના રોજ યોજાઈ હતી. જેમાં 650થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વર્ષ 2026-2028ની મુદત માટે નવી એક્ઝિક્યુટિવ કમિટીની ચૂંટણી યોજાઈ હતી.
નવી એક્ઝિક્યુટિવ કમિટીના ચૂંટાયેલા સભ્યો આ મુજબ છેઃ
પ્રેસિડેન્ટ – જશવંતભાઈ દોશી
વાઈસ પ્રેસિડેન્ટ – પિયુષભાઈ વોરા
સેક્રેટરી – નિમિષભાઈ શેઠ
આસિ. સેક્રેટરી -- મિહિરભાઈ કામદાર
ટ્રેઝરર – બકુલભાઈ કોઠારી
આસિ. ટ્રેઝરર – દીલીપભાઈ મીઠાણી
હોલ સેક્રેટરી – કિશોરભાઈ બાટવિઆ
મેમ્બરશિપ સેક્રેટરી – મયુરભાઈ દોશી
કમિટીના સભ્યોઃ
હસ્મિતાબહેન દોશી, કેતનભાઈ અદાણી, કીરિટભાઈ બાટવિઆ, મયુરભાઈ સંઘવી, સંગીતાબહેન બાવીશા, શીરિષકુમાર મીઠાણી અને વૈશાલીબહેન મહેતા
એક્સ-ઓફિસિયો ટ્રસ્ટીગણઃ
સરોજબહેન વારીઆ (નવનાત વણિક ભગિની સમાજ)
નટવરલાલ મહેતા (નવનાત વડીલ મંડળ)
અનુપભાઈ મહેતા (નવનાત બ્રીજ ક્લબ)
દિવ્યેશભાઈ કામદાર (નવનાત ગોલ્ફ ક્લબ)
નવનાત વણિક એસોસિયેશન-- બોર્ડ ઓફ એડવાઈઝર્સ
આ ઉપરાંત, AGMમાં વિદાય લઈ રહેલી એક્ઝિક્યુટિવ કમિટી અને બોર્ડ ઓફ એડવાઈઝર્સે મુદત પૂર્ણ થઈ રહી છે તેવા સભ્યો અમિતભાઈ લાઠીઆ, બીનાબહેન સંઘવી અને કૂલેશભાઈ શાહ પ્રત્યે સમર્પિત સેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
નવા સભ્યોને બોર્ડ ઓફ એડવાઈઝર્સમાં આવકાર આપવામાં આવ્યો હતો.
અપડેટ થયેલી બોર્ડ ઓફ એડવાઈઝર્સ કમિટીની યાદી નીચે મુજબ છેઃ
ચેરમેન-- નીતિનભાઈ પારેખ
એડવાઈઝર્સ
ચંદ્રકાન્તભાઈ શાહ (નવા)
ડો. હિતેશભાઈ શાહ (નવા)
કિરણભાઈ મહેતા (નવા)
સતીશભાઈ પંચમીઆ (નવા)
નવી ચૂંટાયેલી કમિટી અને બોર્ડ ઓફ એડવાઈઝર્સને શુભકામના પાઠવવામાં આવી હતી.


