નેનપૂરમાં પૂ. મહંત સ્વામીની નિશ્રામાં દીપાવલી પર્વ ઉજવાયું

Tuesday 24th November 2020 15:35 EST
 
 

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. નેનપૂરમાં દીપાવલિ પર્વની ઉજવણી પૂ.મહંત સ્વામીની નિશ્રામાં કરવામાં આવી હતી. પૂ. મહંત સ્વામીએ દિવાળીના દિવસે ચોપડાપૂજન કર્યું હતું. તેમણે દિવાળી તથા બેસતા વર્ષે સભામાં સંતો અને હરિભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા. પૂ. મહંત સ્વામીએ સૌને દીર્ઘાયુષ્ય તથા સારા સ્વાસ્થ્યના આશીર્વાદ આપ્યા હતા.

દેશ-વિદેશમાં રહેતા હરિભક્તો પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો વેબકાસ્ટીંગના માધ્યમથી લાભ લઈ રહ્યા છે. પૂ. મહંત સ્વામી નેનપૂરમાં રહીને દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપે છે. હરિભક્તો દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ પ્રાપ્ત કરી રહ્યા છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter