BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. તાજેતરમાં પૂ. મહંત સ્વામીની સત્સંગ દીક્ષા શાસ્ત્ર તુલા કરવામાં આવી હતી. તેમણે બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ વિશેની ઓડિયો બુકના ભાગ – ૪ નું વિમોચન કર્યું હતું. પૂ. મહંત સ્વામીએ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ વિશેના વીડિયો પ્રેઝન્ટેશનનું પણ ઉદઘાટન કર્યું હતું. તે ઉપરાંત, તેમણે યુવા તાલીમ કેન્દ્ર, સારંગપુરના ૨૦૨૧ના પ્રથમ સત્રના ઉદઘાટન સમારોહમાં વીડિયો કોન્ફરન્સથી ભાગ લીધો હતો. તેમણે નાસિક ખાતે નવા બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિરના કોતરણીવાળા પ્રથમ સ્તંભના સ્થાપનની વિધિમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભાગ લીધો હતો.
પૂ. મહંત સ્વામી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નિયમિતપણે BAPSમંદિરોના સાધુઓ સાથે સત્સંગ કરે છે. તેઓ નેનપૂરમાં રહીને દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપે છે. પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો દેશ-વિદેશમાં રહેતા હરિભક્તો વેબકાસ્ટીંગના માધ્યમથી લાભ લઈ રહ્યા છે. હરિભક્તો દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ પ્રાપ્ત કરે છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે.