નેનપૂરમાં પૂ. મહંત સ્વામીનું વિચરણ

Tuesday 15th December 2020 14:52 EST
 
 

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. ૧૪મી ડિસેમ્બરે પૂ. મહંત સ્વામીએ ભાવનગર મંદિર માટે ભગવાન સ્વામીનારાયણના પવિત્ર ચરણારવિંદનું પૂજન કર્યું હતું. તેઓ નિયમિત શિક્ષાપત્રી અને સત્સંગ દીક્ષાનું વાંચન કરે છે. પૂ. મહંત સ્વામી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી BAPSમંદિરોના સાધુઓ સાથે સત્સંગ કરે છે. તેઓ નેનપૂરમાં રહીને દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપે છે. પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો વેબકાસ્ટીંગના માધ્યમથી દેશ-વિદેશમાં રહેતા હરિભક્તો લાભ લઈ રહ્યા છે. હરિભક્તો દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ પ્રાપ્ત કરે છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter