નેનપૂરમાં પૂ. મહંત સ્વામીનું વિચરણ

Tuesday 11th May 2021 16:55 EDT
 
 

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. BAPSશ્રી સ્વામીનારાયણ સંસ્થા દ્વારા દેશમાં કોવિડ - ૧૯થી પીડાતા લોકો માટે મોટાપાયે રાહતકાર્ય ચાલી રહ્યું છે. કોવિડના દર્દીઓમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતું હોય છે. તેમાં મદદરૂપ થવા સંસ્થા દ્વારા ઓક્સિજન કોન્સેન્ટ્રેટર અને જરૂરી સાધનો પૂરા પાડવામાં આવી રહ્યા છે.

દરમિયાન, પૂ. મહંત સ્વામી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નિયમિતપણે BAPSમંદિરોના સાધુઓ સાથે સત્સંગ કરે છે. તેઓ નેનપૂરમાં રહીને દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપે છે. ગુરુવારે અને રવિવારે પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો લાભ ભારતના હરિભક્તો સવારે ૮ વાગે (IST) અને વિદેશના ભક્તો (રીપીટ વેબકાસ્ટ) સવારે ૭ (ઈસ્ટ આફ્રિકા ટાઈમ) તથા સવારે ૮ વાગે (યુકે ટાઈમ) વેબકાસ્ટીંગના માધ્યમથી લઈ રહ્યા છે. હરિભક્તો દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ પ્રાપ્ત કરે છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter