પ.પૂ, મહંતસ્વામીનું થાઈલેન્ડ વિચરણ

Wednesday 11th April 2018 07:11 EDT
 
 

બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંતસ્વામી હાલ થાઈલેન્ડના બેંગકોકમાં વિચરણ કરી રહ્યા છે. બુધવાર તા.૧૧ એપ્રિલ સુધી બેંગકોકમાં વિચરણ કર્યા બાદ તેઓ હોંગકોંગ જવા રવાના થશે.

અગાઉ સીંગાપૂરમાં વિચરણ દરમિયાન પૂ. મહંતસ્વામીએ હરિભક્તોને દર્શન અને સત્સંગનો લાભ આપ્યો હતો. પૂ. મહંતસ્વામીએ બાળ, કિશોર તેમજ યુવક-યુવતી સભાઓમાં ઉપસ્થિત રહીને સૌને સંપ, સદભાવ અને એકતાના ગુણોને વધુ દ્રઢ બનાવવાની શીખ સાથે આશીર્વચન પાઠવ્યા હતા. બાળ તેમજ યુવા કલાકારોએ ભક્તિસભર કાર્યક્રમ પણ રજૂ કર્યો હતો. બુધવાર તા. ૧૧ એપ્રિલે પૂ.મહંતસ્વામી હોંગકોંગ જવા રવાના થશે. ત્યાં તેઓ શનિવાર તા. ૧૪ એપ્રિલ સુધી વિચરણ કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter