પૂ. મહંત સ્વામીએ માન્ચેસ્ટર અને બર્મિંગહામ મંદિરની મૂર્તિઓની પ્રતિષ્ઠાવિધિ કરી

Tuesday 05th January 2021 14:28 EST
 
 

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. ૩૧મી ડિસેમ્બરે પૂ. મહંત સ્વામીએ મહુવાના બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ સ્મૃતિ મંદિર માટે કળશ પૂજન વિધિ કરી હતી. પૂ. મહંત સ્વામીએ યુકેના બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિર બર્મિંગહામ અને બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિર માન્ચેસ્ટરના મંદિરોમાં સ્થપાનારી મૂર્તિઓની પ્રતિષ્ઠા વિધિ પણ કરી હતી. પૂ. મહંત સ્વામી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશવિદેશના BAPSમંદિરોના સાધુઓ સાથે સત્સંગ કરે છે. તેઓ નેનપૂરમાં રહીને દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપે છે. દેશ-વિદેશમાં રહેતા હરિભક્તો પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો વેબકાસ્ટીંગના માધ્યમથી લાભ લઈ રહ્યા છે. હરિભક્તો દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ પ્રાપ્ત કરે છે. તેઓ શિક્ષાપત્રી અને સત્સંગ દીક્ષાનું નિયમિત વાંચન કરે છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter