પૂ. મહંત સ્વામીના હસ્તે જોહાનિસબર્ગ મંદિરની વર્ચ્યુઅલ શીલાપૂજન વિધિ

Wednesday 02nd June 2021 06:07 EDT
 
 

BAPS શ્રી સ્વામીનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. ૨૯મી મેને શનિવારે પૂ. મહંત સ્વામીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં તૈયાર થનારા નવા BAPS શિખરબદ્ધ મંદિરની શીલા પૂજન વિધિમાં ભાગ લીધો હતો. તેમણે શીલા, યંત્રો અને કળશનું પૂજન કર્યું હતું. આ અગાઉ પૂ. મહંત સ્વામીએ ભગવાન શ્રી સ્વામીનારાયણના દિવ્ય જીવન પર આધારિત એનિમેશન ફિલ્મ શ્રેણીનો છઠ્ઠો ભાગ પણ પ્રકટ કર્યો હતો.
પૂ. મહંત સ્વામી નિયમિતપણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી BAPSમંદિરોના સાધુઓ સાથે સત્સંગ કરે છે. તેઓ નેનપૂરમાં રહીને દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપે છે. ગુરુવારે અને રવિવારે પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો લાભ ભારતના હરિભક્તો સવારે ૮ વાગે (IST) અને વિદેશના ભક્તો (રીપીટ વેબકાસ્ટ) સવારે ૭ (ઈસ્ટ આફ્રિકા ટાઈમ) તથા સવારે ૮ વાગે (યુકે ટાઈમ) વેબકાસ્ટીંગના માધ્યમથી લઈ રહ્યા છે. હરિભક્તો દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ પ્રાપ્ત કરે છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter