પૂ. મહંત સ્વામીના હસ્તે ભૂજ નૂતન BAPS મંદિર સંકુલનું ખાતપૂજન

Wednesday 08th September 2021 05:30 EDT
 
 

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ સારંગપુર ખાતે બિરાજમાન છે. પૂ. મહંત સ્વામીએ ભૂજ ખાતે નિર્માણ પામનારા નવા શિખરબદ્ધBAPS શ્રી સ્વામીનારાયણ મંદિરનું ખાત પૂજન કર્યું હતું. તેમણે તે મંદિર માટે ઈષ્ટશિલાપૂજન તથા યંત્ર પૂજન પણ કર્યું હતું. ૫ સપ્ટેમ્બરે પૂ. સ્વયંપ્રકાશ સ્વામી (ડોક્ટર સ્વામી)એ 'મહાન ઋષિ મહંત સ્વામી મહારાજ' પુસ્તકનું વિમોચન કર્યું હતું. ૬ઠ્ઠી સપ્ટેમ્બરે પૂ. મહંત સ્વામીએ સત્સંગ દીક્ષા અધ્યયન ઉદઘાટન સમારોહનું ઉદઘાટન કર્યું હતું.

પૂ. મહંત સ્વામી નિયમિતપણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી BAPSમંદિરોના સાધુઓ સાથે સત્સંગ કરે છે. પૂ. મહંત સ્વામી દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપે છે. ગુરુવારે અને રવિવારે પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો લાભ ભારતના હરિભક્તો સવારે ૮ વાગે (IST) અને વિદેશના ભક્તો (રીપીટ વેબકાસ્ટ) સવારે ૭ (ઈસ્ટ આફ્રિકા ટાઈમ) તથા સવારે ૮ વાગે (યુકે ટાઈમ) વેબકાસ્ટીંગના માધ્યમથી લઈ રહ્યા છે. હરિભક્તો દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ પ્રાપ્ત કરે છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter