પૂ. મહંત સ્વામીની નિશ્રામાં ગુરૂપૂર્ણિમાની વર્ચ્યુઅલ ઉજવણી

Wednesday 28th July 2021 02:39 EDT
 
 

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ અમદાવાદ ખાતે બિરાજમાન છે. ૨૦જુલાઈએ કરાયેલી સર્જરી પછી પૂ. મહંત સ્વામી વિશ્રામ લઈ રહ્યા છે. ૨૩ જુલાઈએ પૂ. મહંત સ્વામીની નિશ્રામાં ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન કરાયું હતું. તેમાં વરિષ્ઠ સંતોએ ગુરુ અને શિષ્યના મહિમા વિશે પ્રેરક પ્રવચનો આપ્યા હતા.
પૂ. મહંત સ્વામી નિયમિતપણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી BAPSમંદિરોના સાધુઓ સાથે સત્સંગ કરે છે. પૂ. મહંત સ્વામી દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપે છે. ગુરુવારે અને રવિવારે પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો લાભ ભારતના હરિભક્તો સવારે ૮ વાગે (IST) અને વિદેશના ભક્તો (રીપીટ વેબકાસ્ટ) સવારે ૭ (ઈસ્ટ આફ્રિકા ટાઈમ) તથા સવારે ૮ વાગે (યુકે ટાઈમ) વેબકાસ્ટીંગના માધ્યમથી લઈ રહ્યા છે. હરિભક્તો દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ પ્રાપ્ત કરે છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે.




to the free, weekly Gujarat Samachar email newsletter