BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ ગોંડલ ખાતે બિરાજમાન છે. તેમણે ગોંડલમાં BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિરના નવા મકાનનું તેમજ નવનિર્મિત સ્વામી શ્રી જ્ઞાનજીવનદાસજી ગુરુકુળનું ઉદઘાટન કર્યું હતું. તેમણે યુવા તાલીમ કેન્દ્રના પદવીદાન સમારોહમાં ભાગ લઈને સૌને આશીર્વચન પાઠવ્યા હતા. પૂ. મહંત સ્વામીએ જૂનાગઢના મધુરમ મંદિર તથા હિંગતીયા, પીપળીયા, ચિત્રોડી તથા ગોંડલના સ્વામી શ્રી ઘનશ્યામજી ગુરુકુળમાં પધરાવવામાં આવનારી મૂર્તિઓની પ્રતિષ્ઠાવિધિ પણ કરી હતી. આ ઉપરાંત, સંતોકપુરા, કસુંબાડ, રાવપુરા (ઝોરાલ) ખાતે તૈયાર થનારા મંદિરોની ઈષ્ટશિલાનું પૂજન પણ કર્યું હતું.
પૂ. મહંત સ્વામીની સવારની નિત્યપૂજામાં ગોંડલ અને આસપાસના ગામોમાંથી સાધુ સંતો અને હરિભક્તો ઉપસ્થિત રહે છે. તેઓ નિયમિતપણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી BAPSમંદિરોના સાધુઓ સાથે સત્સંગ કરે છે. પૂ. મહંત સ્વામી દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી હાજરી આપે છે. ગુરુવારે અને રવિવારે પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો લાભ ભારતના હરિભક્તો સવારે ૮ વાગે (IST) અને વિદેશના ભક્તો (રીપીટ વેબકાસ્ટ) સવારે ૭ (ઈસ્ટ આફ્રિકા ટાઈમ) તથા સવારે ૮ વાગે (યુકે ટાઈમ) વેબકાસ્ટીંગના માધ્યમથી લઈ રહ્યા છે. હરિભક્તો દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ પ્રાપ્ત કરે છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે. (૨૧૮)