પૂ. મહંત સ્વામીનું નેનપૂરમાં વિચરણ

Tuesday 16th March 2021 15:42 EDT
 
 

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. તેમણે સિહોલ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત મંદિરમાં પધરાવવામાં આવનારી મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા વિધિ કરી હતી. સિહોલ ઉપરાંત સોનગઢ તેમજ વિદેશમાં ઓસ્ટ્રેલિયાના પર્થ અને ફિજી મંદિરની મૂર્તિઓની પ્રતિષ્ઠા વિધિ કરી હતી. તેમણે સત્સંગ દીક્ષા શાસ્ત્ર મુખપાઠ એવોર્ડ વિજેતાઓને દર્શનનો લાભ આપ્યો હતો. તેઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નિયમિતપણે BAPSમંદિરોના સાધુઓ સાથે સત્સંગ કરે છે. તેઓ નેનપૂરમાં રહીને દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપે છે. ગુરુવારે અને રવિવારે પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો લાભ ભારતના હરિભક્તો સવારે ૮ વાગે (IST) અને વિદેશના ભક્તો (રીપીટ વેબકાસ્ટ) સવારે ૭ (ઈસ્ટ આફ્રિકા ટાઈમ) તથા સવારે ૮ વાગે (યુકે ટાઈમ) વેબકાસ્ટીંગના માધ્યમથી લઈ રહ્યા છે. હરિભક્તો દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ પ્રાપ્ત કરે છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter