BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ સારંગપુર ખાતે બિરાજમાન છે. તેઓ ૧૦ ઓગસ્ટને મંગળવારે અમદાવાદથી નીકળી સારંગપુર પહોંચ્યા હતા. અગાઉ અમદાવાદમાં વિચરણ દરમિયાન તેમણે સાબરકાંઠા જીલ્લાના બહેડીયા - પોશીના, અમીનપૂરમાં નવા બંધાનારા બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિરો માટેની ઈષ્ટશિલાનું પૂજન કર્યું હતું. તેમણે ભદ્રેસરમાં નિર્માણ પામનારા પ્રમુખદ્વારની ઈષ્ટશિલાનું પણ પૂજન કર્યું હતું. આ ઉપરાંત, કેટલાંક બીએપીએસ મંદિરો માટે યંત્રપૂજન પણ કર્યું હતું.
પૂ. મહંત સ્વામી નિયમિતપણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી BAPSમંદિરોના સાધુઓ સાથે સત્સંગ કરે છે. પૂ. મહંત સ્વામી દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપે છે. ગુરુવારે અને રવિવારે પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો લાભ ભારતના હરિભક્તો સવારે ૮ વાગે (IST) અને વિદેશના ભક્તો (રીપીટ વેબકાસ્ટ) સવારે ૭ (ઈસ્ટ આફ્રિકા ટાઈમ) તથા સવારે ૮ વાગે (યુકે ટાઈમ) વેબકાસ્ટીંગના માધ્યમથી લઈ રહ્યા છે. હરિભક્તો દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ પ્રાપ્ત કરે છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે.