પૂ. મહંત સ્વામીનું સારંગપુરમાં વિચરણ

Tuesday 17th August 2021 15:48 EDT
 
 

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ સારંગપુર ખાતે બિરાજમાન છે. ૧૩ ઓગસ્ટે પ્રમુખ સ્વામી બ્રહ્મલીન થયા તેને પાંચ વર્ષ પૂર્ણ થયા હતા. પૂ. મહંત સ્વામીએ મંદિર પરિસરમાં આવેલા યજ્ઞપુરુષ સ્મૃતિ મંદિરે પહોંચીને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા હતા. ૧૭ ઓગસ્ટે વર્ચ્યુઅલ માધ્યમથી પ્રમુખ સ્વામી મહારાજ સ્મૃતિ સભાનું આયોજન કરાયું હતું. તેમાં BAPSના વિદ્વાન સંતોએ પૂ. પ્રમુખ સ્વામીના જીવન અને કાર્યો વિશે માહિતી આપી હતી અને તેમની સાથેના સંસ્મરણો તાજા કર્યા હતા. પૂ. મહંત સ્વામી નિયમિતપણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી BAPSમંદિરોના સાધુઓ સાથે સત્સંગ કરે છે. પૂ. મહંત સ્વામી દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપે છે. ગુરુવારે અને રવિવારે પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો લાભ ભારતના હરિભક્તો સવારે ૮ વાગે (IST) અને વિદેશના ભક્તો (રીપીટ વેબકાસ્ટ) સવારે ૭ (ઈસ્ટ આફ્રિકા ટાઈમ) તથા સવારે ૮ વાગે (યુકે ટાઈમ) વેબકાસ્ટીંગના માધ્યમથી લઈ રહ્યા છે. હરિભક્તો દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ પ્રાપ્ત કરે છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે. (૧૯૧)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter