BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. તેઓ 14 જૂન, રવિવાર સુધી ત્યાં વિચરણ કરશે. પૂ.મહંત સ્વામીએ સંસ્થાના સાધુઓ સાથે ઓનલાઇન વિચારવિમર્શ કરીને માર્ગદર્શન તથા આશીર્વચન આપ્યા હતા. BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા કોરોના વાઇરસ મહામારી કોવિડ-19માં રાહતરૂપ બનવા અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ છે.