પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંગે અગત્યનું નિવેદન

Tuesday 15th February 2022 14:13 EST
 

દેશ-વિદેશના અસંખ્ય ભક્તો-ભાવિકો બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ઉજવાનાર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉત્સુકતાપૂર્વક પ્રતીક્ષા કરી રહ્યા છે. આ મહોત્સવ ૨૦૨૨માં પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિશ્રામાં અમદાવાદ ખાતે ભક્તિભાવપૂર્વક ઉજવાશે. આ અંગે સંસ્થા દ્વારા હજુ કોઈ તારીખો, સમય અને કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ નથી. તે અંગે વિચારણા અને આયોજનો ચાલી રહ્યા છે. સંસ્થા દ્વારા થોડા સમય પછી તેની વિધિવત જાહેરાત કરવામાં આવશે. સંસ્થા સિવાય અનધિકૃત રીતે થયેલી આ અંગેની કોઈપણ જાહેરાત તથ્ય વગરની છે. એવી કોઈપણ જાહેરાતને સાચી માનવી નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter