પ્રેસ્ટન મંદિરના શિવાલયમાં રૂદ્રાભિષેક

Wednesday 19th August 2020 07:24 EDT
 
 

પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે તા. ૧૭-૯-૨૦૨૦ના રોજ પ્રેસ્ટન રાધાકૃષ્ણ મંદિરમાં આશુતોષ ભગવાનશ્રી સદાશિવની કૃપાદૃષ્ટિ કાયમ રહે તે હેતુસર રૂદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું. કોવિડ-૧૯ના કપરી પરિસ્થિતિમાં સરકારની ગાઈડલાઈનનું પાલન કરી બે વ્યક્તિ વચ્ચે ૨ મીટરનું અંતર, માસ્ક તેમજ હાથ સેનેટાઈઝ કરીને યજમાન હરિભક્તોએ ઘણા હેતભાવથી સદાશિવનું પૂજન કર્યું હતું.

આ પ્રસંગે ‘ગુજરાત સમાચાર’ના તંત્રી શ્રી સી.બી. પટેલ અને તેમના પરિવારોની સુખાકારી માટે સદાશિવ ભોલેનાથ સન્મુખ પુજારીશ્રી ભૂમિતભાઈ ત્રિવેદીએ મંત્રોચ્ચારથી સંકલ્પ કરી ભગવાનના આશીર્વાદ પ્રદાન કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter