બીએપીએસ સંસ્થાના કાર્યકરો દ્વારા વિશ્વ મહાસાગર દિન પ્રસંગે 8 જૂનના રોજ મુંબઇના જૂહુ બીચ પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. આ પ્રસંગે તેમણે બીચ પર આવેલા સહેલાણીઓને પણ સ્વચ્છતા અંગે જાગ્રત કર્યા હતા. સાથે સાથે જ કાર્યકરોએ વૈશ્વિક શાંતિ અને સર્વ જીવોની ભલાઇ માટે પ્રાર્થના કરી હતી. સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામીના આધ્યાત્મિક નેતૃત્વમાં બીએસપીએસ સંસ્થાન સનાતન ધર્મના પ્રચાર પ્રસાર ઉપરાંત સમાજ કલ્યાણ માટે પ્રશંસની કાર્ય કરી રહ્યું છે.