બીએપીએસના વિદ્વાન સંત ભદ્રેશદાસ સ્વામી રચિત બ્રહ્મઘોષ ગ્રંથને સાહિત્ય અકાદમી એવોર્ડ

Saturday 21st March 2026 05:53 EDT
 
 

નવી દિલ્હીઃ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજીને સાહિત્ય ક્ષેત્રે પ્રદાન બદલ વર્ષ 2025ના અકાદમી એવોર્ડથી સન્માનિત કરાયા છે.
ભારત સરકાર દ્વારા સાહિત્ય ક્ષેત્રે અપાતું આ સર્વોચ્ચ સન્માન વિવિધ ભારતીય ભાષાઓમાં પ્રશંસનીય યોગદાન બદલ એનાયત કરાય છે. સ્વામી ભદ્રેશદાસજીને આ બહુમાન સંસ્કૃત ભાષામાં પ્રકાશિત બ્રહ્મઘોષ ગ્રંથ માટે એનાયત થયું છે. ભારતની સર્વોચ્ચ સંસ્કૃત કૃતિ તરીકે આ વર્ષે પસંદ કરવામાં આવેલ કૃતિનું નામ છે: ‘પ્રસ્થાનચતુષ્ટયે બ્રહ્મઘોષઃ’
આ ગ્રંથમાં હિન્દુ ધર્મમાં મુખ્ય ગણાતાં ઉપનિષદ, ભગવદ્ગીતા અને બ્રહ્મસૂત્ર ઉપરાંત ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત વચનામૃત ગ્રંથનો આધાર લઈને બ્રહ્મતત્ત્વને ઉજાગર કરવામાં આવ્યું છે. સૂત્રાત્મક રીતે પદ્ય શૈલીમાં રચવામાં આવેલા આ ગ્રંથને વિદ્વાનો દાર્શનિક કાવ્ય તરીકે જુએ છે. આ ગ્રંથની સાહિત્યિક વિશેષતાઓને ધ્યાનમાં રાખીને મૂર્ધન્ય વિદ્વાનોની ચયન સમિતિ દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે તેને જાહેર કરવામાં આવેલ છે. આ ગ્રંથમાં ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત તત્ત્વ જ્ઞાનને સાહિત્યિક રજૂ કરવામાં આવ્યું છે. વર્ષ 2018માં પ્રકાશિત આ ગ્રંથ લેખકે પ.પૂ. મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી રચેલ છે. આ એવોર્ડની જાહેરાતથી વિદ્વાનોમાં આનંદનું મોજું ફરી વળ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter