મુસ્લિમ વર્લ્ડ લીગના સેક્રેટરી અને હિન્દુ ધર્માચાર્યો વચ્ચે બેઠક

Friday 04th August 2023 06:38 EDT
 
 

મુસ્લિમ વિશ્વના સૌથી પ્રભાવશાળી સંગઠન મુસ્લિમ વર્લ્ડ લીગના સેક્રેટરી જનરલ (સાઉદી અરેબિયા) ડો. મોહમ્મદ અલ-ઇસાએ તાજેતરમાં ભારત પ્રવાસ દરમિયાન દિલ્હીમાં વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન (વીઆઇએફ) ખાતે હિન્દુ ધર્મના અગ્રણી ધર્માચાર્યો સાથે ધાર્મિક સમન્વય મુદ્દે સંવાદ કર્યો હતો. આ બેઠકમાં હિન્દુ ધર્મ આચાર્ય સભાના મહામંત્રી અને સંયોજક સ્વામી પરમાત્માનંદજી, સ્વામી નિર્મલાનંદજી, સ્વામી માધવપ્રિયદાસજી (SGVP ગુરુકુલ-અમદાવાદ), સ્વામી બ્રહ્મેશાનંદજી (ગોવા) અને અન્ય ધર્મસંસ્થાના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા. આ પરિસંવાદમાં ભારતના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત ડોભાલ અને વીઆઇએફના અધ્યક્ષ ગુરુમૂર્તિ પોતાની ટીમ સાથે આ ચર્ચામાં જોડાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter