વડતાલ ધામમાં રવિવારે 6 ટન દ્રાક્ષ વડે અમૃત અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરાઇ હતી. અન્નકૂટ માટેની આ દ્રાક્ષ બજારમાંથી ખરીદવામાં નહોતી આવી, પરંતુ નાસિકમાં શિક્ષણ-આરોગ્ય સાથે સત્સંગ અને સમાજ સેવા કરતા જ્ઞાનજીવનદાસજી સ્વામીએ પોતાની વાડીએથી મોકલાવી હતી. વડતાલ ધામમાં આ ત્રીજો દ્રાક્ષ ઉત્સવ છે. બાદમાં મંદિરમાં હાજર તમામ હરિભક્તોને દ્રાક્ષનું વિતરણ કરાયું હતું. ઉત્સવના ભાગરૂપે વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા ઉનાળાની ધોમધખતી ગરમીમાં ઉઘાડા પગે રોડ પર ફરતા દરિદ્ર નારાયણને 31 હજાર જોડી ચંપલનું વિતરણ કરાશે.