વડતાલ ધામમાં કરોડોના ખર્ચે આકાર લઇ રહેલ અક્ષર ભુવનની મુલાકાતે ટ્રસ્ટી બોર્ડ

Saturday 07th June 2025 05:46 EDT
 
 

વડતાલ ધામઃ સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામ તુલ્ય વડતાલ ધામમાં આવેલ પવિત્ર ગોમતી કિનારે કરોડોના ખર્ચે તૈયાર થઇ રહેલ નૂતન અક્ષર ભુવનની પૂ.લાલજીસૌરભ- પ્રસાદદાસજી, વડતાલ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન ડો. સંતવલ્લભદાસજી સ્વામી, મુખ્ય કોઠારી દેવપ્રકાશ સ્વામી, બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી તથા ટ્રસ્ટી બોર્ડના સભ્ય તેજસભાઇ પટેલ (પીપળાવ), અલ્પિતભાઇ પટેલ (બરોડા) અને સંપ્રદાયના વરિષ્ઠ સંતો બ્રહ્મસ્વરૂપ સ્વામી, અખંડ ભંજનાદિ શ્રીવલ્લભ સ્વામી, બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજી તથા અગ્રણી હરિભક્તો ગોવિંદભાઇ ઠક્કર (તારાપુર) અશ્વિનભાઇ કા. પટેલ (વીરસદ) અને ભૂપેન્દ્રભાઇ પટેલ (ભરૂચ) વગેરેએ અક્ષર ભુવનની મુલાકાત લીધી હતી.
રાજસ્થાનના ગુલાબી આરસમાંથી તૈયાર થઇ રહેલ નૂતન અક્ષર ભુવનની કામગીરી નિહાળીને પૂ. લાલજી મહારાજ, ટ્રસ્ટી બોર્ડના સભ્યો તેમજ સંતો અને હરિભક્તોએ આનંદ વ્યક્ત કર્યો હતો અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. 
આ પ્રસંગે ચેરમેન ડો. સંતસ્વામીએ અક્ષરભુવનનું નિર્માણ કરી રહેલા કારીગરોને આર્શીવચન પાઠવ્યા હતા. સહુ કારીગરો સંતોના આર્શીવાદ પ્રાપ્ત કરીને ધન્યતા અનુભવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂ. શ્યામ સ્વામીએ કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter