વડતાલમાં મંદિરની પ્રતિકૃતિરૂપ સર્કલનું લોકાર્પણ

Saturday 21st March 2026 05:53 EDT
 
 

વડતાલધામઃ વડતાલમાં નવ્ય અને કલાત્મક ‘વડતાલધામ સર્કલ’નું સોમવારે લોકાર્પણ કરાયું હતું. રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રીઓ રમણભાઈ સોલંકી તથા કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે આ સર્કલ જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું હતું. આ અવસરે સંતગણ, સંસદસભ્ય મિતેશભાઈ પટેલ, ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ (બાપજી) સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્થાપત્યની દૃષ્ટિએ જોઇએ તો કપડવંજના મુસ્લિમ કારીગરોએ 20 ફૂટ ઊંચુ કલાત્મક મંદિર બનાવ્યું છે. સર્કલની ચારેતરફ કોર્નર પર પણ નવ ફૂટની પ્રતિમા સ્થાપિત કરાઈ છે. જે ઓડિસાના કારીગરોએ ફાઈબરમાંથી બનાવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter