વિશ્વ ઉમિયાધામમાં કારસેવકોનો અભિવાદન સમારોહ યોજાયો

Friday 23rd February 2024 06:54 EST
 

અમદાવાદઃ વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન, વિશ્વ હિંદુ પરિષદ અને અખિત ભારતીય સંત સમિતિના સંયુક્ત ઉપક્રમે શનિવારે વિશ્વ ઉમિયાધામ ખાતે 30 ઓક્ટોબર 1990 તથા 6 ડિસેમ્બર 1992માં અયોધ્યા રામજન્મભૂમિ મુક્તિ અભિયાનમાં જોડાયેલા કારસેવકોનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં પટેલ સમાજના આગેવાનો, રાજકીય આગેવાન, સંતો-મહંતોએ હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ પુ. પૂ સપ્તમ કુવેરાચાર્ય જગતગુરુ શ્રી અવિચલદેવાચાર્ય મહારાજ અને વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે પણ હાજરી આપીને કારસેવકોનું અભિવાદન કયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter