વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. પૂ. બાપુએ આ પ્રસંગે આસપાસની ખુલ્લી જમીનમાં નિહાળીને ત્યાં પણ વૃક્ષારોપણની હાકલ કરી હતી આ વાતની જાણ થતાં જ રાજકોટના સિનિયર સિટિઝન હોમ્સના અગ્રણીઓ નીલેશ વાવડિયા, વિજય ડોબરિયા અને મિત્તલ ખેમાણીએ સમગ્ર સંકુલમાં વૃક્ષારોપણનું બિડુ ઝડપી લઇને 24 જ કલાકમાં વૃક્ષારોપણની કામગીરી શરૂ કરી દીધી હતી.