સંત સત્સંગ વિચરણ માટે એસજીવીપીના પ.પૂ. માધવપ્રિયદાસજી સ્વામીની યુકે પધરામણી

આપણા અતિથિ

Wednesday 31st May 2023 10:58 EDT
 
 

અમદાવાદ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP)ના વડા પ.પૂ. માધવપ્રિયદાસજી સ્વામી અને સદ્‌ગુરુ બાલકૃષ્ણદાસજી સ્વામી સંત સંત્સંગ વિચરણ અર્થે 29 મેના રોજ લંડન પધાર્યા છે. 30 જુલાઇ સુધીના યુકે વિચરણ દરમિયાન પૂ. માધવપ્રિયદાસજી મહારાજ અને બાલકૃષ્ણદાસજી સ્વામીની નિશ્રામાં દર્શન, કથા, વ્યાખ્યાનમાળા, મહાપૂજા, થાળ, પધરામણી, અનુષ્ઠાન સભા સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું છે.
શ્રી કચ્છી લેવા પટેલ સમાજ - કાર્ડિફ દ્વારા 2 જૂનના રોજ સાંજે 7.00થી 8.30 સહજાનંદ કથા જ્યારે 3 જૂનના રોજ સાંજે 6.30થી 8.00 ડીનર અને 8.00થી 10.00 કિર્તન, સભા અને મનોરંજન યોજાશે. આ પ્રસંગે પૂ. માધવપ્રિયદાસજી સ્વામી વ્યાખાન આપશે. (સ્થળઃ શ્રી કચ્છી લેવા પટેલ સમાજ, માર્ડી સ્ટ્રીટ, કાર્ડિફ Cf11 6QT)
શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ ટેમ્પલ કેન્ટન-હેરો દ્વારા 4થી 10 જૂન દરરોજ સાંજે 6.00થી 8.00 પૂ. માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાખ્યાન યોજાયા છે. (સ્થળઃ એસકેએસએસ ટેમ્પલ, વેસ્ટફિલ્ડ લેન, કેન્ટન હેરો, લંડન - HA3 9EA)
વધુ વિગત માટે સંપર્કઃ સંત મંડળ - 077 9353 1382 અથવા ગોવિંદભાઇ કેરાઇ - 078 3109 2042


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter