સંસ્થા સમાચાર (અંક 04 ઓક્ટોબર 2025)

Wednesday 01st October 2025 07:11 EDT
 
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• કરમસદ સમાજ દ્વારા શરદ પૂર્ણિમાની ઉજવણી તા. 4 ઓક્ટોબર (સાંજે 7.30 વાગ્યાથી). વિનામૂલ્યે વિશાળ કાર પાર્કિંગ. સ્થળઃ નક્ષત્ર, સ્નેકી લેન, ફેલ્ધામ - TW13 7NA. વધુ માહિતી માટે સંપર્કઃ મહેન્દ્રભાઇ એસ. પટેલ (ફોન 07956 458872)
• નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ દ્વારા શરદ પૂર્ણિમાની ઉજવણી તા. 4 ઓક્ટોબર (રાત્રે 8.00 વાગ્યાથી). સ્થળઃ નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ બિલ્ડીંગ, 26 ટૂટિંગ હાઇ સ્ટ્રીટ, લંડન - SW17 0RG (નેટવેસ્ટ બેન્કની બાજુમાં) વધુ માહિતી માટે સંપર્કઃ ઉમેશભાઇ અમીન (ફોન 07956 254274)
• છ ગામ નાગરિક મંડળ-યુકે દ્વારા શરદ પૂર્ણિમાની ઉજવણી તા. 4 ઓક્ટોબર (સાંજે 7.30 વાગ્યાથી). સ્થળઃ કિંગ્સબરી ગ્રીન પ્રાયમરી સ્કૂલ, ઓલ્ડ કેન્ટન લેન લંડન - NW9 9ND વધુ માહિતી માટે સંપર્કઃ કલાબહેન પટેલ (ફોન 07956 258311) / જયરાજભાઇ ભાદરણવાલા (ફોન 07956 816556
• ભક્તિવેદાંત મેનોર (હિલફિલ્ડ લેન, વોટફોર્ડ - WD25 8EZ) ખાતે દશેરા પર્વની ઉજવણી તા. 5 ઓક્ટોબર. દર રવિવારે શ્રી કૃષ્ણ હવેલી ખાતે ‘સન્ડે લવ ફિસ્ટ’ અંતર્ગત મંત્રપઠન-નૃત્ય-સત્સંગ-સંસ્કૃતિ-મનોરંજન અને પ્રસાદ. મંદિરમાં દર્શન/મુલાકાતનો સમયઃ સોમવારથી શનિવાર સવારે 10.00થી બપોરે 1.00 અને સાંજે 4.00થી 7.30 - રવિવાર અને બેન્ક હોલિડે સવારે 10.00થી સાંજે 7.30.
• શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગરના સંસ્થાપક સદગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની 104મી પ્રાગટ્ય જયંતીની ઉજવણી તા. 6 ઓક્ટોબર (સાંજે 6.00થી 9.00). સમગ્ર કાર્યક્રમનું પ્રસારણ સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટ્યુબ ચેનલ પર લાઇવ.
• એસકેએલપીસી-યુકે દ્વારા શરદ પૂર્ણિમાની ઉજવણી 6 ઓક્ટોબર (સાંજે 7.30થી 11.00). સ્થળઃ ગ્રાન્ડ માર્કી - SKLPC UK, ઇંડિયા ગાર્ડન્સ, વેસ્ટ એન્ડ રોડ, નોર્થોલ્ટ, મિડલસેક્સ - UB5 6RE
• સરે ગુજરાતી હિન્દુ સોસાયટી દ્વારા શરદ પૂર્ણિમાની ઉજવણી તા. 7 ઓક્ટોબર (સાંજે 7.30થી રાત્રે 11.00), વિનામૂલ્યે વિશાળ કાર પાર્કિંગ. સ્થળઃ નોરબરી મેનોર બિઝનેસ એન્ડ એન્ટરપ્રાઇઝ કોલેજ ફોર ગર્લ્સ, કેન્સિંગ્ટન એવન્યુ, થોર્નટન હીથ, સરે - CR7 8BT. વધુ વિગત માટે સંપર્કઃ ભાવનાબહેન પટેલ (ફોન 07932 523040)
• આદ્ય શક્તિ માતાજી મંદિરે કરવા ચોથ પૂજા 9 ઓક્ટોબરે (બપોરે 3.30થી 7.30 - ચંદ્રોદય 7.42 કલાકે). સ્થળઃ 55 હાઇ સ્ટ્રીટ કોવલી, અક્સબ્રિજ, મિડલસેક્સ UB8 2DZ (ફોનઃ 07882 253 540)
• વીએચપી હિન્દુ સેન્ટર ખાતે દર સપ્તાહે સત્સંગ સભા, યોગ શિબિર, વડીલ સભા સહિતના અનેક કાર્યક્રમ યોજાય છે. રવિવાર સત્સંગ - સાંજે 6.00થી 7.15 (મુખ્ય મંદિર), મહિલા સત્સંગ - દર મંગળવારે બપોરે 12.30થી 2.00 (શિવાજી હોલ), યોગ શિબિર - દર બુધવારે સાંજે 7.30થી 8.30 (શિવાજી હોલ), વડીલ સભા - દર ગુરુવારે સવારે 11.00થી બપોરે 1.30 (કોમ્યુનિટી હોલ), લલિતા સહસ્રનામ સ્તોત્રમ્ - દર શુક્રવારે સાંજે 6.30થી 7.15 (મુખ્ય મંદિર), કુંગ ફુ - દર શુક્રવારે સાંજે 7.00થી 8.00 (શિવાજી હોલ). મંદિરમાં દર્શનનો સમયઃ સવારે 8.30થી 12.30 (આરતી સવારે 10.00) અને સાંજે 6.00થી 8.30 (આરતી સાંજે 7.15). વર્લ્ડ હિન્દુ કાઉન્સિલ ઓફ હિન્દુસ-યુકે રજિસ્ટર્ડ ચેરિટી સંસ્થા છે અને તેનો ચેરિટી નંબર 1207321 છે. સ્થળઃ ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટર, 43 ક્લેવલેન્ડ રોડ, ઇલ્ફર્ડ IG1 1EE. વધુ માહિતી માટે સંપર્કઃ ફોન - 020 8553 5471
• બ્રેન્ટ ઇંડિયન-કોમ્યુનિટી સેન્ટર અનેકવિધ પ્રવૃત્તિઓથી ધબકતું રહે છે. અહીં સોમવારથી શુક્રવાર (બપોરે 1.00થી 3.30) ભજન, મિલન-મુલાકાત, હિન્દુ તહેવારો તથા ખાસ પ્રસંગોની ઉજવણી, ફોન અને ટેબ્લેટ ટ્રેનિંગ (10 સપ્તાહનો કોર્ષ), સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોના પ્રવાસો તેમજ તન-મનને સ્વસ્થ રાખતી પ્રવૃત્તિ યોજાય છે. જેમાં શનિવારે યોગ વર્ગ (સવારે 9.30થી 10.30), પહેલા તથા છેલ્લા ગુરુવારે (બપોરે 1.00થી 3.30) ચિંતન-મનન તથા લાફ્ટર યોગ, બુધવારે (બપોરે 2.00) ઝૂમ પર હેલ્થ ટોક તેમજ નિષ્ણાતો દ્વારા આરોગ્ય સંબંધિત વિષય પર સત્રનો સમાવેશ થાય છે. સ્થળઃ સ્વાગત હોલ, 19 ડડ્ડેન હિલ લેન, લંડન - NW10 2ET વધુ માહિતી માટે જૂઓઃ www.bi-cc.org.uk
• તન અને મનની સુખાકારી માટે સક્રિય બળદિયા યુથ ક્લબ દ્વારા દર શનિવારે સાંજે 6.00 વાગ્યે યોગનિષ્ણાત ભરતભાઇના માર્ગદર્શનમાં પ્રેસ્ટોન મેનોર હાઇ સ્કૂલ ખાતે યોગ સત્ર.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter