બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• સમન્વય પરિવાર-લંડન દ્વારા તા. 27 જૂનના રોજ (સાંજે 5.00 વાગ્યાથી) બ્રહ્મલીન પદ્મભૂષણ નિવૃત્ત શંકરાચાર્ય પ.પૂ. સ્વામી સત્યમિત્રાનંદ ગિરિજીના સાતમા નિર્વાણ દિનની ઉજવણી પ્રસંગે પૂજન-ભજન અને મહાપ્રસાદ. સ્થળઃ ઘનશ્યામ હોલ, શ્રી સ્વામિનારાયણ મંદિર, ધર્મા ભક્તિ મેનોર, વુડ લેન, સ્ટેનમોર - HA7 4LF. વધુ માહિતી માટે સંપર્કઃ બકુલભાઇ જોશી - ફોનઃ 7766 988 485
• નારાયણ સેવા સંસ્થાન - યુકે દ્વારા નારાયણ ભજન સત્સંગ અને સન્માન સમારોહ તા. 27 જૂન સમયઃ સવારે 10.30થી 12.30 (સ્થળઃ મધર અર્થ હિન્દુ ટેમ્પલ, 14 લાર્ચફિલ્ડ કોર્ટ, ન્યૂટન મર્ન્સ, ગ્લાસગો - G77 5PL) તથા સાંજે 5.30થી 7.30 (સ્થળઃ એડિનબર્ગ હિન્દુ મંદિર એન્ડ કલ્ચરલ સેન્ટર, સેંટ એન્ડ્રુ પ્લેસ, લેઇથ, એડિનબર્ગ - EH6 7EG) અને તા. 28 જૂન સમયઃ સવારે 11.30થી બપોરે 1.15 (સ્થળઃ હિન્દુ મંદિર ગ્લાસગો, 1 લા બેલે, ગ્લાસગો - G37 LH). કાર્યક્રમોની વધુ વિગત માટે સંપર્કઃ ટ્રસ્ટી ભીખુભાઇ પી. પટેલ - ફોનઃ 07973 266 569
• પૂ. ગિરિબાપુની શિવકથા તા. 28 જૂન સુધી (સ્થળઃ સચખંડ નાનક ધામ (દર્શન દરબાર) 25 નોર્થ પાર્ક રોડ, આઇવર રિચિંગ્સ પાર્ક લંડન - SL0 9DH) અને તા. 2થી 10 જુલાઇ (સ્થળઃ હિન્દુ ટેમ્પલ, બિલસ્ટ્રાબે 77, હેમ્બર્ગ, જર્મની) વધુ માહિતી સંપર્કઃ અશ્વિન પટેલ - 07949 888 226
• વર્લ્ડ કાઉન્સિલ ઓફ હિન્દુસ-યુકે દ્વારા સટ્ટનમાં ત્રીજો રથ યાત્રા મહોત્સવ તા. 5 જુલાઇ (સવારે 11.00થી 4.00). ભજન જામિંગ, ક્લાસિકલ ડાન્સ, કલ્ચરલ ફેર, સ્વાદિષ્ટ પ્રસાદ, ફૂડ સ્ટોલ્સની મજા માણો. સ્થળઃ બેડ્ડીંગ્ટન પાર્ક (ચર્ચ રોડ), સટ્ટન.


