સંસ્થા સમાચાર

Tuesday 14th September 2021 14:59 EDT
 

• BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર દ્વારા વિશેષ સ્મૃતિ પદયાત્રા -  પ. પૂ. પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દિ ઉજવણીના ભાગરૂપે અને પ.પૂ. મહંત સ્વામી મહારાજની ૮૮મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે લંડનના કેટલાંક ઐતિહાસિક સ્થળોને આવરી લેતી ઈસલિંગ્ટનથી નીસડન મંદિર સુધીની વિશેષ સ્મૃતિ પદયાત્રાનું તા.૩.૧૦.૨૦૨૧ને રવિવારે આયોજન કરાયું છે. આ પદયાત્રા એલ્મોર સ્ટ્રીટ, ઈસલિંગ્ટન, એલ્ક્ઝાન્ડ્રા પેલેસ, ડોલીસ હિલ થઈને BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન પહોંચશે. સંપર્ક. 020 8965 2651

• વિશ્વ હિંદુ પરિષદ, ૧૦ થોર્નટન રો, થોર્નટન હિથ, ક્રોયડન તા.૨૯.૭.૨૧ને ગુરુવારથી ફરી ખૂલ્લું મૂકાયું છે. વિશ્વ હિંદુ પરિષદ માત્ર દર ગુરુવારે બપોરે ૧૨થી ૩ દરમિયાન ખૂલ્લું રહેશે.સંપર્કઃ મુકેશ પટેલ - 07895401011


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter