સંસ્થા સમાચાર

Tuesday 14th April 2015 12:22 EDT
 

* સનસેટ એન્ડ ઇન્ડો યુ.કે. નિર્મિત ગુજરાતી નાટક "પત્ની પરણાવો સાવધાન"ના શોનું અાયોજન તા.૨૫ એપ્રિલ, શનિવારે ગુજરાત હિન્દુ સેન્ટર, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન ખાતે સાંજે ૬.૩૦ વાગ્યે અને ભારતીય વિદ્યાભવન (૪એ, કાસલટાઉન રોડ, વેસ્ટ કેન્સીંગ્ટન)માં શનિવાર તા.૨ મે'ના રોજ સાંજે ૫.૩૦ વાગ્યે યોજાયો છે. સંપર્ક હેમંત પારેખ 07826 850 220

* રામાપીર ઘાટ (વેસ્ટ) લંડન દ્વારા ગ્રેટ અોરમન્ડ સ્ટ્રીટ ચિલ્ડરન્સ ચેરિટીના લાભાર્થે શનિવાર તા. ૨૫ એપ્રિલના રોજ બપોરે ૨.૦૦થી મધરાત સુધી ભજન-કિર્તનનો કાર્યક્રમ રાખવામાં અાવ્યો છે. જેમાં યુ.કે.ભરમાંથી જુદી જુદી ભજનમંડળીઅો ભાગ લઇ ભજનો રજૂ કરશે. અા તકે સાંજે ૬.૩૦થી ૮.૦૦ દરમિયાન મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં અાવી છે. સંપર્ક પ્રાગજીભાઇ પાણખાણિયા 0795 127 4039

* શ્રી જિજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી ૧૦૮ હનુમાન ચાલીસા મહાયજ્ઞનું અાયોજન તા.૧૯ એપ્રિલ, રવિવારે સવારે ૧૧ થી ૫.૦૦ દરમિયાન રાખવામાં અાવ્યું છે. સ્થળ: સોશ્યલ કલબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, વોટફોર્ડ રોડ, હેરો, HA1 3UJ. કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું અાયોજન કરવામાં અાવ્યું છે. જિજ્ઞાસુ સત્સંગ મંડળના ભાઇઅો અને બહેનો અા કાર્યક્રમના સ્પોન્સરર છે. સંપર્ક: 0208 459 5758; 07973 550 310

* શ્રી ખડસૂપા કાછોલ પરિવાર (યુ.કે.) દ્વારા રવિવાર, ૧૦ મે, ૨૦૧૫ના રોજ સેન્ટ ચેડ્સ પેિરિશ સેન્ટર, કોલમન રોડ લેસ્ટર ખાતે ફેમીલી ગેધરીંગ રાખવામાં અાવ્યું છે. વધુ વિગત માટે સંપર્ક સુરેશભાઇ 0116 283 5080

* વૈષ્ણવાચાર્ય શ્રી હરિરાયજી મહોદય (કડી-અમદાવાદ)ની "ધર્મપ્રચાર યુકે યાત્રા" તા.૧૬ એપ્રિલ ૨૦૧૫થી ૪, મે સુધી યોજવામાં અાવી છે. સંપર્ક 07944 602777

* શ્રી વલ્લભ પ્રાગટ્ય ઉત્સવ: શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો ૫૩૮મા પ્રાગટ્ય નિમિત્તે તા.૧૯ એપ્રિલ ૨૦૧૫, બપોરે ૩.૦૦ થી ૬.૦૦ દરમિયાન મથુરાથી પૂ.પા.ગો. શ્રી પરેશબાવાના સાનિધ્યમાં પરિસદ ઉજવશે શ્રી વલ્લભ પ્રાગટ્ય ઉત્સવ. સ્થળ: કેનન હાઇસ્કૂલ, સેલ્ડન રોડ, એજવેર, HA8 6AN. વધુ વિગત માટે સંપર્ક સુરેશ કોટેચા 0208 900 9000.

* નવનાત વણીક એસોસિએશન (યુ.કે)ની વાર્ષિક સામાન્ય સભાનું અાયોજન રવોવાર તા.૨૬ એપ્રિલ રવિવારે બપોરે ૨.૧૫ કલાકે નવનાત વણિક સેન્ટર, પ્રિન્ટીગ હાઉસ લેન, હેઇઝ,UB3 1ARખાતે રાખવામાં અાવી છે. સંપર્ક પ્રમુખ ભૂપેન્દ્ર શાહ 0208 958 8600

* તુષાર ત્રિવેદી પ્રોડકશન-પ્રેઝન્ટ્સ "જીવણલાલે જાન જોડી" ગુજરાતી કોમેડી નાટકનો શો તા.૨૫ એપ્રિલ શનિવારે હિન્દુ સમાજ મંડળ-ડાર્લસ્ટન ખાતે રાખવામાં અાવ્યો છે. સંપર્ક મહેન્દ્રભાઇ પટેલ 07725 137 087 અને શ્રી બાવીશ ગામ પાટીદાર સમાજના ઉપક્રમે તા.૨૬ એપ્રિલ રવિવારે સાંજે ૫.૩૦ વાગ્યે ૨૨ લંડન રોડ, પાટીદાર હાઉસ, વેમ્બલી ખાતે અા નાટ્ય શો રજૂ કરવામાં અાવશે. સંપર્ક દક્ષેશ પટેલ 07984 187 708

* હાઇકમિશન અોફ ઇન્ડિયા-ધ નહેરુ સેન્ટર ખાતે તા. ૨૧ એપ્રિલ, મંગળવારે સાંજે ૬.૩૦ વાગ્યે પંડિત સીઅાર વ્યાસની સ્મૃિતમાં સંજીવ ચિમાલગીનો હિન્દુસ્તાની વોકલ કાર્યક્રમનું અાયોજન કરવામાં અાવ્યું છે. સ્થળ: ૮ સાઉથ અોડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF સંપર્ક 0207409 3360

અવસાન નોંધ

મૂળ સુણાવના વતની અને હાલ વેમ્બલી સ્થિત શ્રી રમણભાઇ મોતીભાઇ પટેલ તા.૧૩ એપ્રિલ, સોમવારે સાંજે ૮૧ વર્ષની વયે સ્વર્ગવાસી થયા છે. Blenheim Gardens, Wembley. સંપર્ક અલ્પેન 07956 834 764

શુભલગ્ન

હેમલહેમ્પસ્ટેડ સ્થિત શ્રી કિરીટભાઇ રાવજીભાઇ પટેલ તથા શ્રીમતિ હસુબેન કે. પટેલનાં સુપુત્રી ચિ. પ્રીશાના શુભલગ્ન સ્વ.શ્રી જિતેન્દ્રકુમાર પટેલ તથા શ્રીમતી કિર્તીબેન પટેલના સુપુત્ર ચિ. ચિરાગ સાથે તા.૨૭ અોકટોબર ૨૦૧૫ના રોજ ગોવા ખાતે નિરધાર્યાં છે. નવદંપતિને 'ગુજરાત સમાચાર-પરિવાર'ની શુભકામના.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter