સંસ્થા સમાચાર

Tuesday 07th July 2015 14:41 EDT
 

આવસાન નોંધ

સોજીત્રાના શ્રી પૂનમભાઇ આશાભાઇ પટેલના સુપુત્ર ઘણાં વર્ષો કમ્પાલામાં રહ્યા બાદ હાલ સ્ટ્રેધામ સ્થિત શ્રી બાબુભાઇ પૂનમભાઇ પટેલ ટૂંકી માંદગી બાદ તા. ૬-૭-૧૫ સોમવારે દેવલોક પામ્યા છે. સંપર્ક: 020 8764 4756.

* વિશ્વ હિન્દુ પરિષદ, ૧૦ થોર્નટન રો, થોર્નટન હીથ પોંડ CR7 6JN ખાતે બ્રહમાકુમારીઝના સહયોગથી દર શુક્રવારે સાંજે ૭ થી ૮-૩૦ અને દર સોમવારે બપોરે ૧૨થી ૧ દરમિયાન રાજ યોગના વર્ગોનો લાભ મળશે. સંપર્ક: બીકે પ્રીતિ 020 7738 9230.

* BAPS ચેરીટી દ્વારા શનિવાર તા. ૧૧-૭-૧૫ના રોજ સવારે ૧૦થી ૫ દરમિયાન BAPS સ્વામીનારાયણ મંદિર, બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન NW10 8LD ખાતે હેલ્થ એન્ડ વેલબીઇંગ કોમ્યુનિટી ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં વિવિધ પ્રકારની બીમારીઅો અંગે માહિતી સાથે તપાસ કરી આપવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter