* શ્રી નવયુગ જૈન પ્રગતિ મંડળ, નવયુગ સેન્ટર, ૧૧ શેવ શીલ એવ્યુ, કોલિન્ડેલ, લંડન NW9 6SE ખાતે તા. ૩૦-૮-૧૫ રવિવાર બપોરે ૩થી ૫ દરમિયાન સુધાબેન અને ભુપેન્દ્રભાઇ પરિવાર તરફથી સંત સંઘનું આયોજન કરાયું છે. અલ્પાહારનો લાભ મળશે. સંપર્ક: મફતભાઇ શાહ 020 8998 4686.
* કેનન્સ ગુજરાતી શાળામાં પ્રવેશ માટે રવિવાર તા. ૬-૯-૧૫ના રોજ સવારે ૧૦થી ૧૨ દરમિયાન રજીસ્ટ્રેશન રાખવામાં આવેલ છે. એજવેર વિસ્તારમાં દર રવિવારે સવારે ૧૦થી બપોરના ૧૨ દરમિયાન ચાલતી કેનન્સ ગુજરાતી શાળામાં કોઇપણ વયનાં વિદ્યાર્થીઓને OCR સૂચિત અભ્યાસક્રમ અનુસાર ચાર વર્ષથી માંડી GCSE લેવલ સુધીનું ગુજરાતી ભાષાનું શિક્ષણ અનુભવી અને તાલીમબધ્ધ શિક્ષકો દ્વારા આપવામાં આવે છે. પ્રતિ વર્ષ GCSE પરીક્ષામાં ૧૦૦% વિદ્યાર્થીઓ ઉતિર્ણ થાય છે. ઉચ્ચકક્ષાનાં શિક્ષણ સાથે સાંસ્કૃતિક વર્ગ જેવા કે હારમોનિયમ અને તબલાં પણ શીખવવામાં આવે છે. સંર્પક : વિજયાબહેન ભંડેરી 020 8958 8564 www.canonsgujarati.com
* ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટનPR1 8JN ખાતે તા. ૧૩-૯-૧૫ના રોજ બપોરે ૨ વાગ્યે સંસ્થાની એજીએમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતી શાળાના વર્ગો ધો. ૫, ૬ અને ૭ માટે તા. ૪-૯-૧૫ શુક્રવારના રોજ સાંજે ૬ થી ૮ દરમિયાન ચાલશે અને રીસેપ્શન, ૧, ૨, ૩ અને ૪ના વર્ગો તા. ૫ શનિવારના રોજ સવારે ૯-૩૦થી ૧૨ દરમિયાન ચાલશે. સંપર્ક: 01772 253 901.
* સનાતન મંદિર, એપલ ટ્રી સેન્ટર, ઇફીલ્ડ એવન્યુ, ક્રોલી RH11 0AF ખાતે તા ૩૧-૮-૧૫થી તા. ૬-૯-૧૫ રોજ બપોરે ૧થી ૫ દરમિયાન શ્રી શિવપુરાણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રસાદનો લાભ રોજ સાંજે ૫ પછી મળશે. સંપર્ક: 01293 519 130.
* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૩૦-૮-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.
* આધ્યશક્તિ માતાજી મંદિર, ૫૫ હાઇસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે શનિવાર તા. ૨૯-૮-૧૫ના રોજ બપોરે ૧૨ કલાકે હનુમાન ચાલીસા અને આરતીનો તેમજ રવિવાર તા. ૩૦-૮-૧૫ના રોજ બપોરે ૩ થી ભજન અને મહાપ્રસાદનું આયોજન કરાયું છે. દર સોમવારે શિવ પૂજાનો લાભ મળશે. સંપર્ક: 07882 253 540.
* મા કૃપા ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ રામ કથામાં થયેલા રેફલ ડ્રોમાં પીળી ટીકીટ નંં. ૨૭૭ને બે જણાને દુબાઇ જવા માટેની એર ટિકીટનું અને ટિકીટ નં. ૫૩૪ ધારકને £૧૦૦નું રેડ લાઇન વાઉચરનું ઇનામ લાગ્યું છે. જો ૩૦-૧૦-૧૫ પહેલા ઇનામ મેળવી લેવામાં નહિં આવે તો ઇનામની રકમ ચેરિટીને આપવામાં આવશે. સંપર્ક: રશ્મિભાઇ શાહ 020 8933 4403.
* ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર, ૨૨ પામરસ્ટન રોડ, હેરો HA3 7RR ખાતે તા. ૨૯-૮-૧૫ના રોજ રક્ષાબંધનના પવિત્ર પર્વ પ્રસંગે બપોરે ૨ કલાકે હનુમાન ચાલીસાનું આયોજન કરાયું છે. શ્રાવણ માસ દરમિયાન દર શનિવારે અને સોમવારે રાત્રે ૮થી ૧૦ દરમિયાન ભજનનો લાભ મળશે. સંપર્ક: 020 8426 0678.
* અભિષેક બચ્ચનને ચમકાવતી અને 'અોહ માય ગોડ'ના ડાયરેક્ટર દ્વારા નિર્મીત ફિલ્મ 'અોલ ઇઝ વેલ' તા. ૨૧-૮-૧૫થી યુકે સહિત વિશ્વભરના સિનેમાઘરોમાં દર્શાવાઇ રહી છે.
* યુકેની અધિકૃત નં. ૧ એશિયન ટીવી ચેનલ સ્ટાર પ્લસ ચેનલ (સ્કાય ૭૮૪, વર્જીન ૮૦૩, ટોકટોક ૪૪૦) ઉપર દર રવિવારે રાત્રે ૮ કલાકે 'ડાન્સ પ્લસ' કાર્યક્રમ દર્શાવવામાં આવશે.
* સનરાઇઝ રેડિયો હવે બે ચેનલો ૯૬૩ અને ૯૭૨ એફએમ અને DAB પર પણ સાંભળી શકાશે. DABનું પ્રસારણ માર્ચ ૨૦૧૬થી રાષ્ટ્રવ્યાપી ધોરણે થશે.
* સૌરાષ્ટ્રના હાસ્ય કલાકારોની ત્રિપુટી વિજય રાવલ, મનન રાવલ અને હિરેન ત્રિવેદીના શોનું આયોજન * તા. ૨૯-૮-૧૫ સાંજે ૭-૩૦ કલાકે કેનન્સ હાઇસ્કૂલ, શાલ્ડન રોડ, એજવેર (સંપર્ક: મનજીભાઇ 07931 534 270) * રવિવારે તા. ૩૦-૮-૧૫ સાંજે ૫ કલાકે
હેચએન્ડ હાઇસ્કૂલ, હેડસ્ટોન લેન, હેરો, HA3 6NR ખાતે (સંપર્ક: પીઆર પટેલ 020 8922 5466) * તા. ૩૧-૮-૧૫ના રોજ બપોરે ૧ કલાકે લંચ સાથે હ્યુમન સર્વિસ ટ્રસ્ટ યુકે અને એડન દેપાળા મિત્ર મંડળ યુકે, ધ કોમ્યુનિટી સેન્ટર 67A ચર્ચ લેન, લંડન N2 8DR ખાતે (સંપર્ક: હિંમતભઇ જગાણી 020 8346 6686) અને તા. ૩૧-૮-૧૫ના રોજ સાંજે ૭ કલાકે અર્બન હાંડી ૨૪૪, હેરો HA3 9BX ખાતે ટુ કોર્સ ડીનર (સંપર્ક: 020 8238 9999) સાથે કોમેડી શોનું આયોજન કરવામાં આવ્યું છે.
* વિશ્વ હિન્દુ પરિષદ, ૨ લેડી માર્ગારેટ રોડ, સાઉથોલ, UB1 2BA ખાતે તા. ૨૯-૮-૧૫ શનિવારના રોજ સવારના ૮થી સાંજના ૮ દરમિયાન શ્રીનાથજી ભગવાન, સુભદ્રાજી તથા બલરામજીના સ્વરુપની પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રસાદી તથા મિઠાઇનો લાભ મળશે. સંપર્ક: મંદિર 020 8574 3870.
* શ્રી જલારામ જ્યોત મંદિર, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી HA0 3DW ખાતે શનિવાર તા. ૨૯ અોગસ્ટના રોજ સવારના ૧૦થી સાંજના ૬ દરમિયાન રક્ષાબંધન પૂજાનું આયોજન કરાયું છે. પ્રસાદનો લાભ બપોરે ૧-૧૫થી ૨-૩૦ દરમિયાન મળશે. દર ગુરૂવારે જલારામ ભજન સાંજના ૭થી ૯-૧૫ અને પ્રસાદનો તેમજ દર શનિવારે ૨૧ હનુમાન ચાલિસા સવારના ૧૧થી બપોરના ૧-૧૫ દરમિયાન યોજાશે અને બન્ને દિવસ દરમિયાન પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: સીજે રાભેરૂ 07958 275 222.
શુભ વિવાહ
શ્રીમતી ઋતાબેન અને શ્રી દીપકભાઇ નટુભાઇ સી. પટેલના સુપુત્રી ચિ. ભૂમિના શુભ વિવાહ શ્રીમતી સુસાન અને શ્રી એલન સેંડર્સના સુપુત્ર ચિ. જ્યોર્જ સાથે રવિવાર તા. ૩૦ અોગસ્ટના રોજ નિરધાર્યા છે. નવદંપત્તીને 'ગુજરાત સમાચાર' તરફથી શુભકામનાઅો.
જન્માષ્ટમી તેમજ પર્યુષણ પર્વના કાર્યક્રમો
આગામી તા. ૫-૯-૨૦૧૫ શનિવારના રોજ જન્માષ્ટમી અને ગુરૂવાર તા. ૧૦-૯-૨૦૧૫થી બ્રિટનમાં પર્યુષણ પર્વના કાર્યક્રમોનું આયોજન વિવિધ સંસ્થા કે સંગઠનો દ્વારા કરવામાં આવનાર છે. ભક્તો અને શ્રાવકો આ ઉત્સવો અને દર્શનનો લાભ લઇ શકે તે આશયે જન્માષ્ટમી અને પર્યુષણ પર્વના કાર્યક્રમોની નોંધ 'સંસ્થા સમાચાર' વિભાગમાં લેવામાં આવશે. કાર્યક્રમની માહિતી તા. ૧-૯-૧૫ પહેલા 'ગુજરાત સમાચાર' કાર્યાલયમાં શ્રી કમલ રાવને પોસ્ટ, ફેક્સ 020 7749 4081 કે Email: [email protected] દ્વારા મોકલી આપવા વિનંતી છે.