સંસ્થા સમાચાર

Tuesday 30th December 2014 10:18 EST
 

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસા મહાયજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન તા. ૪-૧-૧૫ રવિવાર સવારના ૧૧-૦૦થી ૫-૦૦ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, વોટફર્ડ રોડ, હેરો, HA1 3UJ ખાતે કરવામાં આવ્યું છે. સ્પોન્સરર મુન્નાભાઇ કચાવા અને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

* શ્રી આણદાબાવા સેવા સંસ્થા, જામનગર દ્વારા તા. ૬-૧-૧૫થી તા. ૧૩-૧-૧૫ દરમિયાન ધોરીવાવ ફાર્મ, જામનગર ખાતે 'અષ્ટોત્તરશત ૧૦૮ શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાન યજ્ઞ'નું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 0091 288 2540155.

* ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે તા. ૧૧-૧-૧૫ રવિવારના રોજ ભજન ભોજન પછી બપોરે ૨-૦૦થી બાળકો માટે પતંગ બનાવવાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.

* હ્યુમન સર્વિસ ટ્રસ્ટ યુકે દ્વારા ભારતમાં થઇ રહેલા વિવિધ ચેરીટી કાર્યો માટે સ્વીટ સંગીત ગીત ગઝલ કાર્યક્રમનું શાનદાર આયોજન તા. ૧૮-૧-૧૫ના રોજ બપોરે ૩થી ૫ દરમિયાન શ્રી એડન દેપાળા મિત્ર મંડળ હોલ, ૬૭એ ચર્ચ લેન, ફીંચલી, લંડન N2 8DR ખાતે ડીનર સાથે કરવામાં આવ્યું છે. સંપર્ક: હિમ્મતભાઇ 020 8346 6686 અથવા જુઅો જાહેરાત પાન ૨૪.

* શિવમ ટુર્સ દ્વારા તા. ૧૦-૩-૧૫થી તા. ૨૪-૩-૧૫ દરમિયાન શ્રી વ્રજ ચૌરાસી કોસ સુખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 0116 212 3157.

અવસાન નોંધ

* શ્રી જીતેશભાઇ અને સંદીપભાઇ ઠકરારના માતુશ્રી શ્રીમતી ચંપાબેન (વીણાબેન) વજુભાઇ ઠકરારનું ૮૨ વર્ષની વયે તા. ૧૯-૧૨-૧૪ના શુક્રવારે વેમ્બલી ખાતે દુ:ખદ નિધન થયું હતું. સદ્ગતને અંજલિ આપવા તા. ૨૧ના રોજ ધામેચા હોલ ખાતે પ્રાર્થના સભા યોજાઇ હતી. પરમકૃપાળુ પરમાત્મા ચંપાબેનના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના. સંપર્ક: 07956 211 591.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter