• જૈન નેટવર્ક, કોલીન્ડલમાં પર્યુષણ પર્વ દરમિયાન વિશેષ વ્યાખ્યાનમાળા :
જૈનાચાર્ય પદ્મભૂષણ રત્નસુંદરજી મહારાજ સાહેબના વ્યાખ્યાન સવારના ૧૧ થી ૧૨.૩૦. સ્નાત્ર પૂજા, પ્રતિક્રમણની વ્યવસ્થા સહિતના અન્ય કાર્યક્રમો જૈન સેન્ટરમાં કોરોના નીતિ-નિયમોના પાલનને ધ્યાનમાં રાખી કરાશે. વધુ માટે જુઓ આગામી અંક.
• સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકે દ્વારા રામ મંદિરની શિલાન્યાસ વિધિ અને ભારતના એકીકરણની ઐતિહાસિક એનીવર્સરીની ઉજવણી માટે તા.૫.૮.૨૦૨૦ને બુધવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન ઝૂમ ઓનલાઈન કાર્યક્રમનું આયોજન કરાયું છે. ઈન્દ્રેશકુમાર RSS નેશનલ એક્ઝિક્યુટિવ અને પ્રો. ગૌતમ સેન સાથે ચર્ચામાં જોડાવા માટે મીટીંગ આઈ ડી
841 4039 2365 અને પાસકોડ 871236 છે. લિંક
https://us02web.zoom.us/j/84140392365?pwd=bkfxco1RZXR4a3hpMRucy9PWXFpdz09 છે.
સંપર્ક. 07960376229
આ કાર્યક્રમ ફેસબુક/સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકે પર લાઈવ નિહાળી શકાશે.
• નહેરૂ સેન્ટરના ઉપક્રમે કવિવર રવિન્દ્રનાથ ટાગોરની ૭૯મી પુણ્યતિથિ નિમિત્તે તા ૭-૮ ઓગષ્ટ ૨૦૨૦ના રોજ કવિવર રચિત કાવ્યો અને એમના મૃત્યુ પર્યંત એમની સાથે સહમત ન થનારાઓ સાથેના વાર્તાલાપોની રજુઆત ફેસબુક પેજ પર દર્શાવાશે. રજુઆત: ડો.આનંદ ગુપ્તા
લીંક : http://www.facebook.com/nehrucentrelondon/