સારંગપૂરમાં પૂ. મહંત સ્વામીના ૮૮મા જન્મદિનની ઉજવણી

Tuesday 14th September 2021 14:57 EDT
 
 

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ સારંગપુર ખાતે બિરાજમાન છે. ૧૩ સપ્ટેમ્બરે પૂ. મહંત સ્વામીનો તારીખ પ્રમાણે ૮૮મો જન્મદિન હતો. તેમનો જન્મ ૧૩ સપ્ટેમ્બર,૧૯૩૩ના રોજ મધ્યપ્રદેશના જબલપુરમાં થયો હતો. ૩ જુલાઈ, ૧૯૬૦ના રોજ પૂ. યોગીજી મહારાજે તેમને મુંબઈમાં દીક્ષા આપી હતી. સારંગપુરમાં પૂ. મહંત સ્વામીની નિત્યપૂજામાં જન્મદિનની નિમિત્તે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સાધુ, સંતો અને હરિભક્તોને પૂ.મહંત સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા.

પૂ. મહંત સ્વામી નિયમિતપણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી BAPSમંદિરોના સાધુઓ સાથે સત્સંગ કરે છે. પૂ. મહંત સ્વામી દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપે છે. ગુરુવારે અને રવિવારે પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો લાભ ભારતના હરિભક્તો સવારે ૮ વાગે (IST) અને વિદેશના ભક્તો (રીપીટ વેબકાસ્ટ) સવારે ૭ (ઈસ્ટ આફ્રિકા ટાઈમ) તથા સવારે ૮ વાગે (યુકે ટાઈમ) વેબકાસ્ટીંગના માધ્યમથી લઈ રહ્યા છે. હરિભક્તો દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ પ્રાપ્ત કરે છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter