સ્વામિનારાયણ મંદિર-વડતાલ ધામના સંતોનું યુકેમાં સત્સંગ વિચરણ

Thursday 28th September 2023 06:46 EDT
 
 

સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામના સંતો હાલ સુરતમાં રહેતા એવા પૂ. અલૌકિકદાસજી સ્વામી, પૂ. વ્યતિરેકસ્વરૂપદાસજી સ્વામી તથા પૂ. અખંડવૃત્તિદાસજી સ્વામી હાલ યુકેમાં સત્સંગ વિચરણ અર્થે પધાર્યા છે. બે અઢી મહિના સુધીના વિચારણ દરમિયાન હમણાં તા. 24 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી સ્ટેનમોર ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં રોકાઇને સત્સંગ-સંસ્કાર પોષણના કાર્યક્રમો કરી રહ્યા છે. હાલના સમયે બાળકો તથા યુવાનોમાં ભારતીય સંસ્કૃતિના સંસ્કાર તથા સત્સંગના સંસ્કારોની ખૂબ જ જરૂર હોઈ ત્યારે આ સંતો જુદા જુદા વિસ્તારોમાં આવેલા મંદિરો તથા સત્સંગીઓના ઘરે જઈ સત્સંગ તથા સનાતન સંસ્કૃતિના પોષણનું કામ કરી રહ્યા છે. સંતો તથા સત્સંગનો લાભ લેવા માટે સંપર્કઃ અલૌકિક સ્વામી - +44 744 814 4196 / વ્યતિરેક સ્વામી +44 744 817 4414 અથવા અખંડસ્વામી +44 744 872 5265


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter